શોધખોળ કરો

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ પર બોલ્યા PM મોદી, નિખિલ કામથ સાથેના પૉડકાસ્ટની મોટી વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિખિલ કામથ સાથે પ્રથમ પૉડકાસ્ટ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિખિલ કામથ સાથે પ્રથમ પૉડકાસ્ટ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે બાળપણમાં તેઓ તેમના પૂરા પરિવારના કપડાં ધોતા હતા, જેથી તેમને તળાવમાં જવાનું મળે.  પીએમ મોદીએ કહ્યું કે મારો જન્મ ગુજરાતના મહેસાણાના વડનગરમાં થયો હતો. તે સમયે તે સ્થળની વસ્તી 15000 હતી.

પીએમ મોદીએ કહ્યું, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ મેં નક્કી કર્યું કે હું મહેનત કરવામાં કોઈ કમી નહીં રાખીશ. હું મારા માટે કંઈ  નહીં કરીશ. હું ક્યારેય ખરાબ ઈરાદાથી કંઈ ખોટું નહીં કરું. મેં તેને જીવનનો મંત્ર બનાવ્યો છે. હું પણ એક મનુષ્ય છું ભગવાન નથી. હું રંગ બદલનાર વ્યક્તિ નથી. જો તમે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી તો તમારી સાથે પણ ક્યારેય ખોટું નહીં થાય. પીએમ મોદીએ કહ્યું કે હું પણ એક માણસ છું, ભગવાન નથી. મારાથી પણ ભૂલો થાય છે.

પૉડકાસ્ટમાં પીએમ મોદીએ વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો પર કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે કે અમે નિષ્પક્ષ નથી. પરંતુ અમે શાંતિના પક્ષમાં છીએ.

'લાલ ચોક પર તિરંગો ફરકાવ્યા બાદ કર્યો હતો માતાને ફોન'

જ્યારે હું શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ધ્વજ ફરકાવવા ગયો હતો. પંજાબમાં અમારી યાત્રા પર હુમલો થયો હતો. ગોળીઓ ચલાવવામાં આવી હતી. 5-6 લોકો માર્યા ગયા. સમગ્ર દેશમાં તણાવ હતો. લોકોને લાગતુ હતું  કે શું થશે. તે સમયે લાલ ચોક પર તિરંગો ફરકાવવો મુશ્કેલ હતો. ત્રિરંગો ધ્વજ ફરકાવ્યા બાદ અમે જમ્મુ આવ્યા. જમ્મુથી પ્રથમ ફોન મારી માતાને કર્યો. આ મારા માટે ખુશીની ક્ષણ હતી અને માતાને ચિંતા થાય છે. મેં પહેલો ફોન મારી માતાને કર્યો હતો. એ ફોનનું મહત્વ આજે યાદ આવે છે.

પૉડકાસ્ટની દુનિયા મારા માટે નવી  - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, પૉડકાસ્ટની દુનિયા મારા માટે નવી છે. મારું જીવન ભટકતી વ્યક્તિ જેવું હતું. તેમણે કહ્યું કે, રાજકારણમાં પ્રવેશવું એક વાત છે અને રાજનીતિમાં સફળ થવું બીજી વાત છે. હું માનુ છું કે તેના માટે સમર્પણ હોવું જોઈએ. તમારે ટીમ પ્લેયર હોવું જોઈએ. આઝાદીના આંદોલનમાં તમામ વર્ગના લોકો જોડાયા હતા, પરંતુ તે બધા રાજકારણમાં જોડાયા ન હતા, પરંતુ તે દેશભક્તિથી પ્રેરિત આંદોલન હતું. આઝાદી પછી રાજકારણમાં એક  વર્ગ આવ્યો. આઝાદી પછી ઉભરેલા રાજકારણીઓની વિચારસરણી અને પરિપક્વતા અલગ છે, તેમના શબ્દો સમાજને સમર્પિત છે. સારા લોકો રાજકારણમાં આવતા રહેવા જોઈએ, મિશન લઈને આવે એમ્બિશન લઈને નહીં. 

'મહાત્મા ગાંધી લાકડી રાખતા પરંતુ અહિંસાની વાત કરતા હતા' 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું,  ભાષણની કળાથી વધારે જરુરી છે સંવાદ. તમે સંવાદ કઈ રીતે કરો છો.  મહાત્મા ગાંધી  લાકડી રાખતા પણ અહિંસાની વાત કરતા. મહાત્માજીએ ક્યારેય ટોપી પહેરી ન હતી પરંતુ આખી દુનિયા ગાંધી ટોપી પહેરતી હતી, આ તેમના સંવાદની તાકાત હતી, તેમનું ક્ષેત્ર  ચોક્કસપણે રાજકારણ હતું પરંતુ રાજવ્યવસ્થાન નહીં. તેઓ ન તો ચૂંટણી લડ્યા અને ન તો સત્તામાં આવ્યા, પરંતુ મૃત્યુ પછી જે જગ્યા મળી તેનું નામ રાજઘાટ રાખવામાં આવ્યું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget