શોધખોળ કરો

PM Modi Rajasthan : ગેહલોત-પાયલટના ડખા પર PM મોદીના વેધક સવાલ

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને રાજસ્થાનના લોકોની કોઈ જ ચિંતા નથી. અહીં ગુનાખોરી ચરમસીમા પર છે. લોકો તેમના તહેવારો પણ શાંતિથી ઉજવી નથી શકતા.

PM Modi On Rajasthan Congress: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. અહીં અજમેરમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરીક ખટપટ પર કટાક્ષ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, લોકોએ 2014માં કેન્દ્રમાં સ્થિર સરકાર બનાવી. ભાજપે તમારા દરેક આદેશનું સન્માન કર્યું, પરંતુ તમે પાંચ વર્ષ પહેલા રાજસ્થાનમાં પણ જનાદેશ આપ્યો હતો. બદલામાં તમને શું મળ્યું? અસ્થિરતા અને અરાજકતા. અહીં પાંચ વર્ષથી ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ એકબીજા સામે લડવામાં જ વ્યસ્ત છે. કોંગ્રેસે પણ પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો હતો. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને રાજસ્થાનના લોકોની કોઈ જ ચિંતા નથી. અહીં ગુનાખોરી ચરમસીમા પર છે. લોકો તેમના તહેવારો પણ શાંતિથી ઉજવી નથી શકતા. તોફાનો ક્યારે અને ક્યાં ફાટી નીકળશે તેની કોઈ જ ખાતરી નથી. અહીં દિકરીઓ વિરૂદ્ધ ષડયંત્ર રચનારાઓને કોંગ્રેસે ખુલી છુટ આપી રાખી છે. કોંગ્રેસને દીકરીઓના હિતની કોઈ પરવા જ નથી. આ પહેલા પીએમ મોદીએ પુષ્કરમાં બ્રહ્મા મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી.

સચિન પાયલટે કર્યો વળતો પ્રહાર 

વડાપ્રધાનના આ નિવેદન પર કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું હતું કે, રાજસ્થાનમાં ભાજપનું નેતૃત્વ સક્ષમ નથી. છેલ્લા સાડા 4 વર્ષમાં ભાજપે સદન અને સદનની બહાર એ સાબિત કર્યું નથી કે તે મજબૂત વિપક્ષ છે. તેમની પાસે ધારાસભ્યોની યોગ્ય સંખ્યા છે, છતાં તેઓ તમામ મુદ્દાઓ પર નિષ્ફળ ગયા છે. જનતાએ ભાજપથી આશા ગુમાવી દીધી છે.

રાજસ્થાન કોંગ્રેસના મતભેદો સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેના મતભેદો તાજેતરમાં જ સામે આવ્યા છે. સચિન પાયલટે ગેહલોત સરકાર વિરુદ્ધ ધરણા પણ કર્યા હતા. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વિવાદ ઉકેલવા માટે સોમવારે બંને નેતાઓ સાથે લાંબી બેઠક કરી હતી.

બંને નેતાઓ એક થઈને ચૂંટણી લડવા સંમત થયા

આ બેઠક બાદ કોંગ્રેસે કહ્યું હતું કે, બંને નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીઓ એક થઈને લડવા માટે સંમત થયા છે અને તેમની વચ્ચેના મુદ્દાઓ હાઈકમાન્ડ દ્વારા ઉકેલવામાં આવશે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, ગેહલોત અને પાયલોટ પાર્ટીના પ્રસ્તાવ પર સહમત છે. જો કે તેણે આ અંગે કોઈ વિગતો આપી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget