UAEમાં વરસાદ બન્યો વિલન, પીએમ મોદીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમને કરાયો નાનો, પીએમ મોદી BAPS મંદિરનું કરશે ઉદઘાટન
ખરાબ હવામાનને કારણે UAEના અબુધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે (13 ફેબ્રુઆરી) આયોજિત 'અહલાન મોદી' સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે

PM Narendra Modi UAE Visit: ખરાબ હવામાનને કારણે UAEના અબુધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે (13 ફેબ્રુઆરી) આયોજિત 'અહલાન મોદી' સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે કાર્યક્રમ ટુંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ આ કાર્યક્રમની તૈયારીઓ સાથે સંકળાયેલા એક અધિકારીને ટાંકીને કહ્યું કે યુએઈમાં ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. તેથી આ પગલું ભરવું પડ્યું. અબુધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં પીએમ મોદીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમની તૈયારી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે હવામાનને કારણે તેમને કાર્યક્રમમાં લોકોની ભાગીદારી 80,000ને બદલે 35,000 કરવાની ફરજ પડી છે. .
60 હજાર લોકોએ કરાવ્યુ હતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન -
ઈવેન્ટની તૈયારીમાં વ્યસ્ત સજીવ પુરૂષોત્મને પીટીઆઈને જણાવ્યું કે, "અબુધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મોટા પ્રવાસી ઈવેન્ટમાંથી એકની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હતી, પરંતુ અચાનક હવામાનના કારણે કેટલાક લોકો ખરાબ થઈ ગયા. તેમાં ફેરફાર કરવા પડતા હતા. અને હવે ભીડ ઓછી રાખવામાં આવી છે." તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લગભગ 60 હજાર લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પુરૂષોત્મને જણાવ્યું હતું કે ઇવેન્ટના દિવસે લોકોને પરિવહન કરવા માટે 500 થી વધુ બસો કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે 1000 થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે રહેશે.
બે દિવસીય યુએઇ યાત્રા પર રહેશે પીએમ મોદી -
ખરેખરમાં, પીએમ મોદી મંગળવાર (13 ફેબ્રુઆરી)થી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન બાદ તેઓ આ કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને લોકોને સંબોધિત કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
