શોધખોળ કરો

Birbhum Violence: બીરભૂમ હિંસા પર PM મોદીએ કહ્યુ- 'બંગાળના લોકો આવા જઘન્ય ગુના કરનારાઓને માફ ના કરે'

હું બંગાળના લોકોને પણ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને માફ ન કરો, જેઓ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે Biplobi Bharat Galleryનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન બીરભૂમમાં થયેલી હિંસાની ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી હું રાજ્યને ખાતરી આપું છું કે ગુનેગારોને વહેલી તકે સજા અપાવવા માટે તે જે પણ મદદ ઇચ્છશે તે પૂરી પાડવામાં આવશે. હું બંગાળના લોકોને પણ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને માફ ન કરો, જેઓ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસક ઘટના પર હું દુઃખ વ્યક્ત કરું છું. હું મારી સંવેદના વ્યક્ત કરું છું. પીએમએ કહ્યું કે બંગાળની મહાન ભૂમિ પર આવા ઘૃણાસ્પદ પાપો કરનારાઓને રાજ્ય સરકાર ચોક્કસપણે સજા કરશે.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ અનેક ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. સોમવારે TMC નેતા પર ક્રૂડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમર શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે તેમની વીરતાની ગાથા દેશના દરેક બાળકની જીભ પર છે. આ વીરોની વાર્તાઓ આપણને બધાને દેશ માટે રાત-દિવસ કામ કરવાની પ્રેરણા આપે છે. આપણા ભૂતકાળનો વારસો આપણા વર્તમાનને દિશા આપે છે, વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણા આપે છે.

 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હવે ભારતની તે વિરાસતને પરત લાવવામાં આવી રહી છે. 2014 પહેલાના દાયકાઓમાં ભારતમાં માત્ર એક ડઝન પ્રતિમાઓ લાવી શકાઈ હતી. પરંતુ છેલ્લા 7 વર્ષમાં આ સંખ્યા વધીને અઢીસોથી વધુ થઈ ગઈ છે.  ભારતમાં હેરિટેજ ટુરિઝમ વધારવા માટે દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સ્વદેશ દર્શન જેવી અનેક યોજનાઓ દ્વારા હેરિટેજ ટુરીઝમને વેગ આપવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget