શોધખોળ કરો

PM Modi: PM મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કરશે સંબોધિત, CM યોગી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

PM Modi: કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાને દેશભરમાં લઈ જનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે મહિનામાં જ જનભાગીદારીનું પ્રતિક બની ગઈ હતી

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરશે. તેઓ લાઈવ સંવાદના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે જોડાશે. લાભાર્થીઓની સાથે તમામ જનપ્રતિનિધિઓ પણ પીએમ મોદીનું સંબોધન સાંભળશે. આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, પ્રદેશ મહાસચિવ (સંગઠન) ધર્મપાલ સિંહ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક લખનઉમાં જોડાશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે 15 કરોડ લોકો જોડાયા

કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાને દેશભરમાં લઈ જનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે મહિનામાં જ જનભાગીદારીનું પ્રતિક બની ગઈ હતી. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે. લોકોની આ વિશાળ ભાગીદારી પ્રગતિશીલ ભારત તરફ સંયુક્ત માર્ગની રૂપરેખા આપવા માટે યાત્રાના ઉદેશ્યને રજૂ કરે છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ એક ઐતિહાસિક પહેલ છે જેનો હેતુ દેશભરમાં સરકારી યોજનાઓની 100 ટકા પરિપૂર્ણતા સુનિશ્ચિત કરવાનો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા રાજ્યોમાં ઝુંબેશ શરૂ થયા બાદ લોકોની સહભાગિતાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 13 ડિસેમ્બર 2023ના ચોથા સપ્તાહના અંતે આ યાત્રા 2.06 કરોડ લોકો સુધી પહોંચી હતી, જ્યારે 22 ડિસેમ્બરે પાંચમા સપ્તાહના અંતે આ સંખ્યા વધીને 5 કરોડ થઈ ગઈ હતી. આગામી ચાર અઠવાડિયામાં 10 કરોડ લોકો યાત્રામાં જોડાયા અને તે 15 કરોડ સહભાગીઓનો આંકડો પાર કરી ગયો. 17 જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડેશબોર્ડમાં 2.21 લાખ ગ્રામ પંચાયતો અને 9,541 શહેરી સ્થળોને આવરી લેતા 15.34 કરોડ સહભાગીઓ હતા.

હેલ્થ કેમ્પમાં 4 કરોડથી વધુ લોકોની તપાસ

17 જાન્યુઆરી, 2024 સુધીમાં આરોગ્ય શિબિરોમાં 4 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. માય ભારત પર 38 લાખથી વધુ રજિસ્ટ્રેશન છે. બધા માટે સુલભ આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવા માટે બે કરોડથી વધુ આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ યાત્રામાં બે લાખથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. 11 કરોડથી વધુ લોકોએ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે.

ગામડાઓમાં જોવા મળી સૌથી વધુ અસર

યાત્રાની વાસ્તવિક અસર ગામડે ગામડે જોવા મળી રહી છે. એક લાખથી વધુ ગ્રામ પંચાયતોએ આયુષ્માન કાર્ડ માટે 100 ટકા પરિપૂર્ણતા હાંસલ કરી છે. ‘હર ઘર જલ’ યોજના દ્વારા સ્વચ્છ પાણી હવે 79,000 થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી રહ્યું છે, જ્યારે 1.38 લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં 100 ટકા લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝેશનથી પારદર્શિતા અને સુરક્ષાની સુવિધા મળી છે. વધુમાં 17,000 થી વધુ ગ્રામ પંચાયતોએ ODF પ્લસ અનુપાલન હાંસલ કર્યું છે, જે સ્વચ્છ જીવન જીવવા માટેનું પ્રમાણપત્ર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget