Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Khan Sir: સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ ધરાવતા ખાન સર વિરુદ્ધ તેમના ટ્વિટર હેન્ડલ ખાન ગ્લોબલ સ્ટડી પર ફેક પોસ્ટ મૂકીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા બદલ FIR નોંધવામાં આવી છે.

Khan Sir: સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ ધરાવતા ખાન સર વિરુદ્ધ તેમના ટ્વિટર હેન્ડલ ખાન ગ્લોબલ સ્ટડી પર ફેક પોસ્ટ મૂકીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા બદલ FIR નોંધવામાં આવી છે.એસડીપીઓ સચિવાલયના ડો. અન્નુ કુમારે પુષ્ટિ કરી છે કે ખાન સરની ધરપકડ કરવામાં આવી નથી.
#WATCH | Patna, Bihar: Educator and YouTuber, Khan Sir was released from Gardanibagh Police Station last night.
Khan Sir was detained by the police yesterday after he joined the protest of BPSC aspirants, at Patna's Gardanibagh protesting against the Commission regarding exam… pic.twitter.com/W7uNoug8PB— ANI (@ANI) December 7, 2024
ગઈકાલે, ગાર્દાનીબાગ પોલીસે ખાન સરને તેમની વિનંતી પર અટલ પથ પર તેમની કાર પાસે છોડી દીધા હતા. તમને જણાવી દઈએ કે એફઆઈઆર પછી એવી ચર્ચા હતી કે ખાન સરની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે 6 ડિસેમ્બરે, બિહારમાં 70મી BPSC પ્રિલિમિનરી પરીક્ષાના નિયમોમાં ફેરફારને લઈને વિદ્યાર્થીઓ સાથે વિરોધ કરી રહેલા પ્રખ્યાત શિક્ષક ખાન સરને પોલીસે કસ્ટડીમાં લીધાના સમાચાર હતા. 13મી ડિસેમ્બરે યોજાનારી BPSC પ્રિલિમિનરી પરીક્ષાના નિયમોમાં ફેરફારને લઈને રાજધાની પટનામાં BPSC ઓફિસની બહાર સેંકડો ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે દિવસ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.
એવા સમાચાર મળ્યા હતા કે, મોડી સાંજે વિદ્યાર્થીઓ સાથે વિરોધ કર્યા બાદ પોલીસે ખાન સરની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જો કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનના ગેટની બહાર એકઠા થયા હતા અને તેમની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ એકઠા થયા બાદ પોલીસે તેમને છોડી દીધા.
BPSC એ પરીક્ષાને લઈને સ્પષ્ટતા કરી
જો કે, ઉમેદવારોના આંદોલનને જોતા બિહાર પબ્લિક સર્વિસ કમિશને પણ પરીક્ષાને લઈને સ્પષ્ટતા જારી કરી હતી. કમિશન વતી એવું કહેવામાં આવ્યું છે કે 13મી ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં નોર્મલાઇઝેશન પ્રક્રિયાને અપનાવવા સંબંધિત ભ્રામક સમાચાર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવી રહ્યા છે. કમિશન તેનાથી ચિંતિતિ છે કે, Normalizationની પ્રક્રિયા અપનાવવા અંગે ખોટી અફવા કેવી રીતે સોશિયલ મીડિયા ફેલાવવામાં આવી.
આ પણ વાંચો...























