શોધખોળ કરો

Prashant Kishor: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ થશે કે નહી ? જાણો શું આવ્યા મોટા સમાચાર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકારણમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ નહી થાય. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકારણમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ નહી થાય. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.  સતત ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હવે 2024ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે પાર્ટીમાં ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા હતા અને તેમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પરંતુ હવે કોંગ્રેસ તરફથી એક નિવેદન સામે આવ્યું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે.

કોંગ્રેસ દ્વારા ઓફર આપવામાં આવી હતી

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કહેવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને પણ આ જૂથનો ભાગ બનવા અને તમામ જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.

 

પ્રશાંત કિશોરે અનેક સૂચનો આપ્યા હતા

જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઘણા કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આગામી ચૂંટણીને લઈને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પ્રેઝન્ટેશન સોનિયા ગાંધીને અનેક પેજમાં મોકલવામાં આવ્યું હતું. કોંગ્રેસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અંગે કામ કરવામાં આવશે. સોનિયા ગાંધી પોતે ઘણી વખત પ્રશાંત કિશોરને મળ્યા હતા. આ પછી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ ટૂંક સમયમાં પ્રશાંત કિશોરને પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ સોંપી શકે છે. પરંતુ હવે પાર્ટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીકેએ આમ કરવાની ના પાડી દીધી છે.

2024માં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી પોતાની કામગીરી શરુ કરી દીધી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે આ પહેલાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે પ્રઝેન્ટેશન રજુ કર્યું હતું. આ પ્રઝેન્ટેશનમાં આવનારી લોકસભા ચૂંટણી મુદ્દે પ્રશાંત કિશોરે પોતાની વ્યુહરચના રજુ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે પ્રશાંત કિશોરના આ પ્રઝેન્ટેશન પર વિચારણા કરવા માટે સોનિયા ગાંધીએ એક કમિટી બનાવી હતી. આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટીને સોંપી દીધો છે.

આ સાથે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે એવી પણ જાહેરાત કરી હતી કે, તે રાજસ્થાનના ઉદયપુરમાં 13 મે થી 15 મે દરમિયાન નવ સંકલ્પ ચિંતન શિબિર-મંથન સત્ર યોજશે. ત્રણ દિવસીય સત્રમાં દેશભરમાંથી લગભગ 400 કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે. 

આ સાથે સોનિયા ગાંધીએ આઠ સભ્યોની કમિટીના નેતાઓને પણ મળ્યા હતાં જે પ્રશાંત કિશોરના પ્રઝેન્ટેશનમાં હાજર રહ્યા હતા. આ નેતાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાનું આ કમિટી કિશોરની પ્રઝેન્ટેશનમાં કરાયેલી રજુઆતો પર મંથન કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે બનાવાઈ હતી અને તેમણે ઘણી બેઠકો પણ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
Tata Punch Facelift નું કયું વેરિઅન્ટ છે પૈસા વસૂલ? ખરીદતા પહેલા જાણીલો તમામ ડિટેલ્સ
Tata Punch Facelift નું કયું વેરિઅન્ટ છે પૈસા વસૂલ? ખરીદતા પહેલા જાણીલો તમામ ડિટેલ્સ
Embed widget