શોધખોળ કરો

Prashant Kishor: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ થશે કે નહી ? જાણો શું આવ્યા મોટા સમાચાર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકારણમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ નહી થાય. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકારણમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ નહી થાય. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.  સતત ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હવે 2024ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે પાર્ટીમાં ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા હતા અને તેમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પરંતુ હવે કોંગ્રેસ તરફથી એક નિવેદન સામે આવ્યું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે.

કોંગ્રેસ દ્વારા ઓફર આપવામાં આવી હતી

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કહેવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને પણ આ જૂથનો ભાગ બનવા અને તમામ જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.

 

પ્રશાંત કિશોરે અનેક સૂચનો આપ્યા હતા

જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઘણા કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આગામી ચૂંટણીને લઈને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પ્રેઝન્ટેશન સોનિયા ગાંધીને અનેક પેજમાં મોકલવામાં આવ્યું હતું. કોંગ્રેસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અંગે કામ કરવામાં આવશે. સોનિયા ગાંધી પોતે ઘણી વખત પ્રશાંત કિશોરને મળ્યા હતા. આ પછી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ ટૂંક સમયમાં પ્રશાંત કિશોરને પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ સોંપી શકે છે. પરંતુ હવે પાર્ટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીકેએ આમ કરવાની ના પાડી દીધી છે.

2024માં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી પોતાની કામગીરી શરુ કરી દીધી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે આ પહેલાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે પ્રઝેન્ટેશન રજુ કર્યું હતું. આ પ્રઝેન્ટેશનમાં આવનારી લોકસભા ચૂંટણી મુદ્દે પ્રશાંત કિશોરે પોતાની વ્યુહરચના રજુ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે પ્રશાંત કિશોરના આ પ્રઝેન્ટેશન પર વિચારણા કરવા માટે સોનિયા ગાંધીએ એક કમિટી બનાવી હતી. આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટીને સોંપી દીધો છે.

આ સાથે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે એવી પણ જાહેરાત કરી હતી કે, તે રાજસ્થાનના ઉદયપુરમાં 13 મે થી 15 મે દરમિયાન નવ સંકલ્પ ચિંતન શિબિર-મંથન સત્ર યોજશે. ત્રણ દિવસીય સત્રમાં દેશભરમાંથી લગભગ 400 કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે. 

આ સાથે સોનિયા ગાંધીએ આઠ સભ્યોની કમિટીના નેતાઓને પણ મળ્યા હતાં જે પ્રશાંત કિશોરના પ્રઝેન્ટેશનમાં હાજર રહ્યા હતા. આ નેતાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાનું આ કમિટી કિશોરની પ્રઝેન્ટેશનમાં કરાયેલી રજુઆતો પર મંથન કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે બનાવાઈ હતી અને તેમણે ઘણી બેઠકો પણ કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget