શોધખોળ કરો

President Droupadi Murmu: રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા, જાણો શપથ ગ્રહણની તારીખ અને સમય

President Droupadi Murmu: રાષ્ટ્રપતિએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 કલાકે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે.

President Droupadi Murmu: રાષ્ટ્રપતિએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 કલાકે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. NDA નેતાઓના સમર્થનના પત્રો પ્રાપ્ત કર્યા પછી, રાષ્ટ્રપતિને જાણવા મળ્યું કે NDA 18મી લોકસભામાં બહુમતી મેળવવાની સ્થિતિમાં છે. જે બાદ રાષ્ટ્રપતિએ ભારતના બંધારણની કલમ 75(1) હેઠળ નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.

 

રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય જણાવવા વિનંતી કરી હતી. ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો તરીકે નિમણૂક કરવા માટે અન્ય નેતાઓના નામોની યાદી માંગવામાં આવી હતી.

એનડીએ ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી મોદી રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને તેમના સમર્થક સાંસદોની યાદી આપી અને સરકાર બનાવવાનો દાવો કર્યો.

કેન્દ્ર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વખતે પણ દેશવાસીઓ નિરાશ નહીં થાય. કોઈપણ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. જે રીતે પહેલાની સરકાર ચાલતી હતી તે જ રીતે આ સરકાર પણ ચાલશે.દેશના લોકોએ ત્રીજી વખત સેવા માટે આદેશ આપ્યો છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું દેશવાસીઓને ખાતરી આપું છું કે 18મી લોકસભામાં પણ અમે તે જ ગતિ અને એટલી જ તાકાતથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. આજે સવારે એનડીએની એક બેઠક યોજાઈ હતી. તમામ સાથીઓએ ફરી મને પસંદ કર્યો છે. આ વિશે રાષ્ટ્રપતિને મે જાણ કરી. તેમણે મને બોલાવ્યો અને પ્રધાનમંત્રી ઉમેદવારના રુપમાં કામ કરવા માટે ડ્યૂટી આપી છે. મંત્રિપરિષદ સદસ્યની યાદી માટે સૂચિત કરવામાં આવ્યા છે. 

'2014માં નવો હતો, હવે મને અનુભવ છે'

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, "હું 2014માં નવો હતો. હવે મને લાંબા સમયથી અનુભવ મળ્યો છે. હવે અમારા માટે કામને તરત જ આગળ વધારવામાં સરળતા રહેશે. આ અનુભવ દેશની સેવામાં ફાયદાકારક સાબિત થશે. આ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક છબી ઉભરી આવી છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું, "દુનિયા અનેક સંકટ, તણાવ અને આફતોમાંથી પસાર થઈ રહી છે. આ બધી સમસ્યાઓ વચ્ચે આપણે આપણી જાતને બચાવવી પડશે અને આગળ વધવું પડશે. આપણે ભારતીયો આટલા મોટા સંકટ વચ્ચે સૌથી ઝડપી ગતિએ આગળ વધવાના છીએ. "  

પીએમ મોદીએ કહ્યું કે આજે એનડીએની બેઠક યોજાઈ હતી. એનડીએના સહયોગીઓએ ફરી એકવાર મને આ જવાબદારી માટે પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે હું 9 જૂન 2024ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈશ. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી શુક્રવારે સર્વસંમતિથી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ રીતે મોદી હવે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget