શોધખોળ કરો

Agnipath Protest: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે પહેલીવાર PM Modiએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

PM Modi on Agnipath Scheme : બેંગલુરુમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ આ નિવેદન આપ્યું છે.

PM Modi on Agnipath : દેશભરમાં અગ્નિપથ યોજના (Agnipath Scheme) સામે વિરોધપક્ષની આકરી ટીકા અને વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું હતું કે માત્ર સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો અને નવા સંકલ્પ તરફ લઈ જઈ શકે છે. સુધારણાઓ અસ્થાયી રૂપે અપ્રિય જણાશે, પરંતુ સમય પસાર થવા સાથે ફાયદાકારક રહેશે. અગ્નિપથ યોજનાનું નામ લીધા વિના તેમણે કહ્યું, "શરૂઆતમાં કેટલાક નિર્ણયો અપ્રિય લાગે છે, પરંતુ બાદમાં દેશને તે નિર્ણયોના ફાયદાની અનુભૂતિ થાય છે, આ નિર્ણયો રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરે છે."

પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે
પીએમ નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન, PM એ 28,000 કરોડ રૂપિયાથી વધુની રેલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પીએમએ બેંગ્લોરમાં જનસભાને પણ સંબોધી હતી. પીએમએ કહ્યું કે કર્ણાટકમાં 5 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ, 7 રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અમે કોંકણ રેલ્વેના 100 ટકા વિદ્યુતીકરણના મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાક્ષી બન્યા છીએ. આ તમામ પ્રોજેક્ટ કર્ણાટકના યુવાનો, મધ્યમ વર્ગ, ખેડૂતો, કામદારો, ઉદ્યોગ સાહસિકોને નવી સુવિધાઓ આપશે.

શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બેંગલુરુમાં ટ્રાફિકજામથી છુટકારો મેળવવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર પર ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે. અમારી સરકાર બેંગલોરના ઉપનગરીય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય રેલ્વે હવે ઝડપી, સ્વચ્છ, વધુ આધુનિક, સલામત અને નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે. અમે રેલને દેશના તે ભાગોમાં પણ લઈ ગયા છીએ જ્યાં તેના વિશે વિચારવું પણ મુશ્કેલ હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે,  સંપત્તિ સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી દરેકને સમાન તક મેળવી જોઈએ, આ દરેકનો પ્રયાસ છે. અમારી સરકાર સુધારા માટે સતત કામ કરી રહી છે. ઘણા નિર્ણયો શરૂઆતમાં અપ્રિય લાગે છે, પરંતુ પછીથી તે નિર્ણયોના ફાયદા દેશને સમજાવા લાગે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Air Tour Package: માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
IRCTC Air Tour Package:માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget