શોધખોળ કરો

વોકિંગ ગોડ તરીકે જાણીતા સંતનું થયું નિધન, જાણો PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી શું કહ્યું?

પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકમાં જનનયોગાશ્રમના સંત સિદ્ધેશ્વર સ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી છે.  81 વર્ષીય સંત છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત સમસ્યાઓ સામે લડી રહ્યા હતા.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં જનનયોગાશ્રમના સંત સિદ્ધેશ્વર સ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી છે.  વિદ્વાન અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા 81 વર્ષીય સંત છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત સમસ્યાઓ સામે લડી રહ્યા હતા.

તેમના અનુયાયીઓ વચ્ચે 'વૉકિંગ ગોડ' (જીવંત દેવ) તરીકે જાણીતા સંતના નિધનની જાહેરાત કરતા, વિજયપુરાના ડેપ્યુટી કમિશનર વિજય મહંતેશ ધનમ્માનવાએ જણાવ્યું કે તેમણે સોમવારે આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. કર્ણાટક સરકાર દ્વારા જારી કરાયેલ એક સૂચના અનુસાર, સરકાર દ્વારા સિદ્ધેશ્વર સ્વામીના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટર પરના તેમના શોક સંદેશમાં વડાપ્રધાને લખ્યું, 'પરમપૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજીને સમાજ પ્રત્યેની તેમની અસાધારણ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે અન્યોના ભલા માટે અથાક કામ કર્યું અને તેમની શિષ્યવૃત્તિ માટે પણ જાણીતા હતા. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના અસંખ્ય ભક્તોની સાથે છે. શાંતિ.'

વિજયપુરામાં સરકારી રજા જાહેર
 
કર્ણાટક સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, સરકારે સિદ્ધેશ્વર સ્વામીના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવાનો નિર્ણય લીધો છે. નિવેદન અનુસાર, તેમના પાર્થિવ દેહને સવારે 8 વાગ્યા સુધી આશ્રમમાં રાખ્યા બાદ સાંજે 5 વાગ્યા સુધી સૈનિક સ્કૂલમાં રાખવામાં આવશે. મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંતના નિધનની માહિતી મળતાં જ તેમના હજારો ભક્તો આશ્રમની આસપાસ એકઠા થવા લાગ્યા. વિજયપુરા જિલ્લા પ્રશાસને સિદ્ધેશ્વર સ્વામીના નિધનને કારણે આજે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget