શોધખોળ કરો

Himachal : પ્રિયંકા કોંગ્રેસમાં 'કિંગ મેકર', આ 4 રાજ્યોમાં રાતોરાત બનાવ્યા મુખ્યમંત્રી

પ્રિયંકાએ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે ઘણી વખત સંકટ મોચકની ભૂમિકા ભજવી છે. જેમાં રાજસ્થાનમાં સચિન પાયલટને મનાવવાથી લઈને પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને સત્તા પરથી હટાવવા સુધીના નિર્ણયોનો સમાવેશ થાય છે.

Priyanka Gandhi Role: હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રીને લઈને ગૂંચવણનો આશ્ચર્યજનક રીતે 48 કલાકમાં જ ઉકેલ લાવી દીધો હતો. વીરભદ્રના રાજકીય વારસાને અવગણી પાર્ટીએ સુખવિંદર સિંહ સુખુને નવા સીએમ બનાવ્યા હતાં. આ નિર્ણય પાછળ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર હિમાચલમાં પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ ખાસ કરીને પ્રિયંકા ગાંધી સક્રિય થઈ ગયા હતાં. પ્રિયંકા શિમલામાં રહેલા નિરીક્ષક સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં અને અંતે ધારાસભ્યોનો અભિપ્રાય જાણ્યા બાદ હાઈકમાન્ડે સુખુના નામની મંજૂરી આપી દીધી હતી.
 
2019માં રાજકારણમાં પ્રવેશ્યા બાદ પ્રિયંકાએ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે ઘણી વખત સંકટ મોચકની ભૂમિકા ભજવી છે. જેમાં રાજસ્થાનમાં બળવાખોર સચિન પાયલટને મનાવવાથી લઈને પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને સત્તા પરથી હટાવવા સુધીના નિર્ણયોનો સમાવેશ થાય છે.

આ છે પ્રિયંકાના 4 મોટા નિર્ણયો

1. છેલ્લી ઘડીએ ખડગેને ઉતાર્યા મેદાનમાં

સપ્ટેમ્બર 2022માં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવામાં આવી રહ્યું હતું. ગાંધી પરિવાર બાદ અશોક ગેહલોતે પણ ફોર્મ ન ભરવા અંગે જણાવ્યું હતું. ગેહલોતના ઇનકાર બાદ દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. દિગ્વિજય અને શશિ થરૂર વચ્ચેની સ્પર્ધા નિશ્ચિત માનવામાં આવી રહી હતી. પરંતુ નોમિનેશનની આગલી રાત્રે જ સોનિયા-પ્રિયંકા વચ્ચે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક સોનિયાના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને નહીં પરંતુ પ્રિયંકાના ખાનગી નિવાસસ્થાને યોજાઈ હતી. બેઠકના ગણતરીના કલાકો બાદ ગાંધી પરિવારના નજીકના સહયોગી મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ગાંધી પરિવારની નજીક હોવાના કારણે ખડગેએ પણ ચૂંટણી જીતી હતી.

2. બળવાખોર સચિન પાયલટને મનાવી લીધા

વર્ષ 2020માં તત્કાલિન ડેપ્યુટી સીએમ સચિન પાયલટે રાજસ્થાન કોંગ્રેસના 20 ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો. તમામ ધારાસભ્યો હરિયાણાના માનેસર ચાલ્યા ગયા હતાં. ધારાસભ્યોના બળવાના કારણે અશોક ગેહલોતની સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અહેમદ પટેલ સાથે મળીને પ્રિયંકાએ કટોકટી ઉકેલવાની જવાબદારી લીધી હતી. પ્રિયંકા અને પટેલ સક્રિય થતાં જ પાયલોટ કેમ્પ નરમ પડ્યો હતો. ધારાસભ્યો હોટલમાંથી રાજસ્થાન પરત ફરવા લાગ્યા અને અંતે સચિન પાયલટ પોતાની માંગણીઓ સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતાં. ત્યાર બાદ પાર્ટીએ ગેહલોત અને પાયલોટ વચ્ચે સમજૂતી કરી હતી.

3. અમરિન્દરને બદલી ચન્નીને બનાવ્યા CM

પંજાબમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ તત્કાલિન સીએમ કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. ચૂંટણીના વર્ષમાં ધારાસભ્યોની નારાજગીએ હાઈકમાન્ડનું ટેન્શન વધારી દીધું હતું. અહીં દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ ખુરશી છોડવા તૈયાર નહોતા. પ્રિયંકાએ અહીં પણ કમાન પોતાના હાથમાં લીધી હતી અને સોનિયા સાથે 10, જનપથ પર સતત બેઠકો યોજી હતી. ધારાસભ્યોની નારાજગી જોઈ કેપ્ટને રાજીનામું આપ્યું હતું. કેપ્ટનના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને હાઈકમાન્ડ પર પણ દબાણ વધ્યું હતું. બાદમાં પ્રિયંકાએ રાહુલ સાથે મળીને ચન્નીને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પંજાબમાં પહેલીવાર કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં.

4. હવે સુખુને સોંપી CMની ખુરશી 

40 વર્ષ સુધી હોલી લોજ એટલે કે વીરભદ્ર પરિવારનું હિમાચલ પ્રદેશમાં વર્ચસ્વ હતું. આ વખતે પણ જીત બાદ માનવામાં આવતું હતું કે, પ્રતિભા સિંહને જ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ છેલ્લી ઘડીએ તે સીએમની રેસમાંથી બહાર થઈ ગયા હતાં. સુખુને રાહુલ ગાંધીની નજીક હોવાનો ફાયદો મળ્યો હતો. ધારાસભ્યો પણ તેમની તરફેણમાં હતા. સુખુ સાથે હાઈકમાન્ડે મુકેશ અગ્નિહોત્રીને પણ ડેપ્યુટી સીએમ બનાવવાનો નિર્ણય લીધો હતો. જેને રાજ્યમાં ઠાકુર-બ્રાહ્મણ મતદારો વચ્ચે સંતુલન સાધવા માટેની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget