શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી

Manmohan Singh death news: ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે.

Modi's tribute to Manmohan Singh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મનમોહન સિંહે ગુરુવારે (26 ડિસેમ્બર 2024) દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. પીએમ મોદીએ કહ્યું, મનમોહન સિંહે આપણા વડાપ્રધાન તરીકે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું એક સામાન્ય પરિવારમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર હતા અને વર્ષોથી ભારતની આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ વ્યવહારુ હતો. આપણા વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.

નોંધનીય છે કે, ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. ત્યાર બાદ તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગની સન્માનની ડિગ્રી મેળવી. આ પછી, 1962 માં, તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. ડૉ. મનમોહન સિંહ અને તેમના પત્ની શ્રીમતી ગુરશરણ કૌરને ત્રણ દીકરીઓ છે.

ભારતના ચૌદમા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમની નમ્રતા, મહેનત અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા. 1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડૉ. સિંઘ, સેક્રેટરી, નાણા મંત્રાલય; આયોજન પંચના ઉપાધ્યક્ષ; ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ; વડા પ્રધાનના સલાહકાર; યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. મનમોહન સિંહ 1991 થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા. આ સમય દેશના આર્થિક માળખા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો.

આ પણ વાંચો....

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, કુલગામમાંથી વધુ એક ડોક્ટરની કરાઈ અટકાયત
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, કુલગામમાંથી વધુ એક ડોક્ટરની કરાઈ અટકાયત
Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
Delhi Blast: બે વર્ષથી એકઠા કરી રહી હતી વિસ્ફોટકો, પૂછપરછમાં ડૉક્ટર શાહિને આતંકી કાવતરાનો કર્યો સ્વીકાર
Delhi Blast: બે વર્ષથી એકઠા કરી રહી હતી વિસ્ફોટકો, પૂછપરછમાં ડૉક્ટર શાહિને આતંકી કાવતરાનો કર્યો સ્વીકાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, કુલગામમાંથી વધુ એક ડોક્ટરની કરાઈ અટકાયત
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, કુલગામમાંથી વધુ એક ડોક્ટરની કરાઈ અટકાયત
Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
Dharmendra Health Updates: દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે ઘરે જ કરાશે સારવાર
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
UPSC CSE Mains Result 2025: UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ
Delhi Blast: બે વર્ષથી એકઠા કરી રહી હતી વિસ્ફોટકો, પૂછપરછમાં ડૉક્ટર શાહિને આતંકી કાવતરાનો કર્યો સ્વીકાર
Delhi Blast: બે વર્ષથી એકઠા કરી રહી હતી વિસ્ફોટકો, પૂછપરછમાં ડૉક્ટર શાહિને આતંકી કાવતરાનો કર્યો સ્વીકાર
ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Supreme Court: 'ભાડુઆત મકાનની માલિકીને ન પડકારી શકે', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Supreme Court: 'ભાડુઆત મકાનની માલિકીને ન પડકારી શકે', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Team India: વિરાટ કોહલી  અને રોહિત શર્માને BCCIનો 'આદેશ', એક જ શરત પર મળશે ટીમ ઈન્ડિયામાં સ્થાન
Team India: વિરાટ કોહલી અને રોહિત શર્માને BCCIનો 'આદેશ', એક જ શરત પર મળશે ટીમ ઈન્ડિયામાં સ્થાન
Embed widget