શોધખોળ કરો

Razia Sultana Resigns: નવજોત સિંહ સિદ્ધુની નજીકના રજિયા સુલ્તાનાએ પંજાબના મંત્રી પદેથી આપ્યું રાજીનામું 

Razia Sultana Resigns: પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાને પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું હતું.

 

Razia Sultana Resigns: પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાને પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું હતું.  તેમણે કહ્યું કે દરેકને ખબર હતી કે કંઈક ખોટું થવાનું છે. તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ તેમને કોઈ લોભ નથી. તેઓ પંજાબ અને પંજાબી માટે લડી રહ્યા છે. રઝિયા સુલ્તાના નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાના પત્ની છે.


મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મોકલેલા તેમના રાજીનામા પત્રમાં રઝિયા સુલ્તાનાએ કહ્યું કે તે નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી રહી છે. તેણીએ કહ્યું કે તે પાર્ટી કાર્યકર્તા તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.

પંજાબમાં ચરણજીતસિંહ ચન્નીના પ્રધાનમંડળમાં હજુ બે દિવસ પૂર્વે જ કેબિનેટ પ્રધાન તરીકે જોડાયેલા રઝીયા સુલતાને (Razia Sultan) પણ મંત્રીમંડળમાંથી રાજીનામુ ધરી દિધુ છે. રાજીનામુ આપતા, કોંગ્રેસમાં જૂથવાદ વ્યાપકપણે ફેલાવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. રઝીયા સુલતાન, નવજોતસિંહ સિદ્ધુના સ્ટેટેજિક એડવાઈઝર અને પૂર્વ આઈપીએસ અધિકારી મોહમંદ મુસ્તફાના પત્નિ છે.

પંજાબ કોંગ્રેસમાં રાજકીય ગરમાવો છે. નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દિધા પછી એક રાજીનામુ સરકારમાંથી એક બીજુ રાજીનામુ પક્ષના સંગઠનમાંથી આવ્યુ છે. સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસનુ પદ છોડયાની ગણતરીની મિનિટોમાં, પાર્ટીના કોષાધ્યક્ષ ગુલઝાર ઈન્દર ચહલે (Gulzar Inder Chahal) પણ રાજ્યમાં રાજીનામું આપ્યું છે. તાજેતરમાં જ, ગુલઝાર ઈન્દર ચહલને ઔપચારીક રીતે પંજાબ કોંગ્રેસ સમિતિના ખજાનચી ( Treasurer of the Punjab Congress Committee ) તરીકે સાત દિવસ પહેલા 21 સપ્ટેમ્બરે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચહલની સાથેસાથે પરગટ સિંહ અને યોગિન્દર પાલ ઢીંગરાને પણ, પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા હતા.

સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપતા કહ્યું હતું કે પંજાબના ભવિષ્ય સાથે ક્યારેય સમાધાન કરી શકે નહીં. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના રાજીનામાની જાહેરાત ટ્વિટર મારફતે કરી હતી. નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામામાં જણાવ્યુ હતું કે, ‘કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમાધાનથી શરૂ થાય છે, હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે સમાધાન કરી શકતો નથી, તેથી હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. પરંતુ હું કોંગ્રેસનુ કામ કરવાનું ચાલુ રાખીશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget