શોધખોળ કરો

Punjab New CM: પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે લગભગ નક્કી સુખજિંદર રંધાવા કોણ છે ? જાણો

Punjab Politics: 62 વર્ષીય રંધાવા ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. અમરિંદર સિંહ કેબિનેટમાં તેઓ જેલ અને કોર્પોરેશન મંત્રી હતા. તેના પિતા સંતોખ સિંહ બે વખત પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે.

નવી દિલ્હીઃ પંજાબના મંત્રી સુખજિંદર સિંહ રંધાવા રાજ્યના આગામી મુખ્યમંત્રી બની શકે છે. ગઈકાલે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપ્યા બાદ પંજાબના નવા મુખ્યમંત્રી કોણ તેની સતત ચર્ચા થઈ રહી છે.

કોણ છે સુખજિંદર રંધાવા

62 વર્ષીય રંધાવા ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. અમરિંદર સિંહ કેબિનેટમાં તેઓ જેલ અને કોર્પોરેશન મંત્રી હતા. ગુરદાસપુરના રહેવાસી રંધાવા પંજાબ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેના પિતા સંતોખ સિંહ બે વખત પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે.

ગાંધી પરિવાર સાથે ખાસ સંબંધ

સુખજિંદર સિંહ રંધાવાનો ગાંધી પરિવાર સાથે ખાસ સંબંધ છે. ગાંધી પરિવારની નજીક હોવાના કારણે તેમને પંજાબની કમાન મળવાનું લગભગ નક્કી છે. હાલ તેઓ ડેરા બાબા નાનક સિંહથી ધારાસભ્ય છે. તૃપ્ત રાજિંદર બાજવા, સુખજિંદર રંધાવા અને સુખબિંદર સરકારિયા જેવા નેતાને એક સાથે માઝા એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે  છે.

આ નામો પણ ચર્ચામાં

દિલ્હીમાં ગઈકાલે મોડી રાત સુધી રાહુલ ગાંધીના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી (સંગઠન) કેસી વેણુગોપાલ અને અંબિકા સોની ઉપસ્થિત રહ્યા હતા. નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સિદ્ધુ ઉપરાંત, કોંગ્રેસ પંજાબ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, ભૂતપૂર્વ મંત્રીઓ સુખજિંદર સિંહ રંધાવા, ત્રિપત રાજિન્દર સિંહ બાજવા અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવાનાં નામ મોખરે છે. જોકે સુનીલ જાખડના નામ સામે ઘણા ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. આ નામો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અંબિકા સોની, બ્રહ્મ મોહિન્દ્રા, વિજય ઈન્દર સિંગલા, પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કુલજીત સિંહ નાગરા વગેરેના નામો પણ ચર્ચામાં છે.

રાજીનામું આપ્યા બાદ શું બોલ્યા અમરિંદર

કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, 'સોનિયા ગાંધીએ તેમને સવારે ફોન કર્યો હતો તે સમયે તેઓ હાજર નહોતા. પાછા આવ્યા બાદ તેમનો મિસ્ડ કોલ જોઈને મેં કોલબેક આપ્યો હતો અને મેડમ આ સીએલપીનું શું ચાલી રહ્યું છે તેવો સવાલ કર્યો હતો. આવામાં હું રાજીનામુ આપી દઈશ. મને લાગી રહ્યું છે કે મારે રાજીનામુ આપી દેવું જોઈએ. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓકે, તમે રાજીનામુ આપી શકો છો. મેં કહ્યું ઠીક છે, હું રાજીનામુ આપી દઈશ. ત્યાર બાદ તેમણે કહ્યું સોરી અમરિંદર. મેં તેમને કહ્યું કે, ધેટ્સ ફાઈન, ધેટ્સ ઓકે.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget