શોધખોળ કરો

Rahul Gandhi : પ્રિયંકા ગાંધીનો PM મોદી પર હુમલો, ગાંધી અટકને લઈને કર્યો ખુલાસો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું વાયનાડથી સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જેને લઈને રાજકીય ગલિયારામાં ખળભળાટ મચી ગયો છે.

Rahul Gandhi Disqualified Live: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું વાયનાડથી સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જેને લઈને રાજકીય ગલિયારામાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ ભાજપ પોતાનો બચાવ કરતી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સતત આક્રમક પ્રહારો કરી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાઈ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યારે લૂંટ પર સવાલ ઉઠાવવામાં આવ્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા.



પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમારા સાથીદારોએ શહીદ વડાપ્રધાનના પુત્રને દેશદ્રોહી, મીર જાફર કહ્યાં. તમારા એક મુખ્યમંત્રીએ તો એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, રાહુલ ગાંધીના પિતા કોણ છે? નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર સવાલ ઉઠાવ્યો… શું તમારા મિત્ર ગૌતમ અદાણી દેશની સંસદ અને ભારતના મહાન લોકો કરતા મોટા થઈ ગયા છે કે જ્યારે તેમના દ્વારા ચલાવાતી લૂંટ અંગે સવાલ કરવામાં આવ્યો તો તમે હચમચી ગયા?

'તમને સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા નથી'

પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોના રિવાજને અનુસરીને પુત્ર તેના પિતાના મૃત્યુ બાદ પાઘડી પહેરે છે, તેના પરિવારની પરંપરાને જાળવી રાખે છે. તમે ભરી સંસદમાં આખા પરિવાર અને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન કરીને પૂછ્યું કે, તેઓ નેહરુનું નામ કેમ નથી રાખતા. પરંતુ તમને કોઈ જજે બે વર્ષની સજા નથી સંભળાવી. તમને સંસદમાંથી ગેરલાયક નથી ઠેરવવામાં આવ્યા. રાહુલજીએ એક સાચા દેશભક્તની જેમ અદાણીની લૂંટ પર સવાલો ઉઠાવ્યા તો હચમચી થયા.


'ગાંધી પરિવારે જનતાનો અવાજ ઉઠાવ્યો છે'

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ આગળ ઉમેર્યું હતું કે, તમે મારા પરિવારને પરિવારવાદી કહો છો તો જાણી લો, આ પરિવારે ભારતના લોકતંત્રને પોતાના લોહીથી સિંચ્યું છે. જેને તમે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ પરિવારે ભારતના લોકોનો અવાજ ઉઠાવ્યો છે અને પેઢીઓથી સત્ય માટે લડ્યા છે. અમારી રગોમાં જે લોહી દોડે છે તેની એક વિશેષતા છે... તમારા જેવા કાયર, સત્તાલોભી સરમુખત્યાર સામે ક્યારેય ઝૂક્યા નથી અને ઝૂકશે પણ નહીં. તમે ભલે ગમે તે કરી લો.

Rahul Gandhi : સંસદનું પદ જતા હવે રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ? 2024માં શું થશે?

વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આજે લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી હતી. સચિવાલયે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 2019માં માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતાં અને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેઓ સંસદના સભ્ય નહીં રહે.

નોટિફિકેશન જાહેર થયા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે, હવે રાહુલ ગાંધીનું આગળનું પગલું શું હશે? રાહુલ ગાંધી આ મામલામાંથી બહાર આવી શકે તેવા કયા રસ્તા છે? કેટલાક કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે, દોષિત ઠર્યા બાદ કોંગ્રેસના સાંસદ આપોઆપ જ ગેરલાયક ઠર્યા હતા. જ્યારે કેટલાક નિષ્ણાતોનું કહવું છે કે, જો તેઓ સજાને પલટવામાં સફળ થાશે તો આ કાર્યવાહીને અટકાવી શકાય છે. તો ચાલો જાણીએ શું શું વિકલ્પ રહેશે?

કપિલ સિબ્બલનું શું કહેવું છે?

NDTV અનુસાર, આ સમગ્ર મામલાને લઈને વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલનું કહેવું છે કે, જો તે (કોર્ટ) માત્ર સજાને સસ્પેન્ડ કરે તો તે પૂરતું નથી. સસ્પેન્શન અથવા દોષિત ઠેરવવા પર સ્ટે હોવો જોઈએ. તેઓ (રાહુલ ગાંધી) સંસદના સભ્ય તરીકે ત્યારે જ યથાવત જ રહી શકે છે જ્યારે તેમના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે. જો હાઈકોર્ટ આ નિર્ણયને રદ નહીં કરે તો રાહુલ ગાંધીને આગામી 8 વર્ષ સુધી ચૂંટણી લડવાની પરવાનગી નહીં મળે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget