શોધખોળ કરો

રાહુલ ગાંધીની ઓફિસ પર હુમલો, જાણો કોણે અને શા માટે કરી ઓફિસમાં તોડફોડ, જુઓ વિડીયો

Kerala News : વાયનાડમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી છે અને તપાસની વાત પણ કરી છે.

Rahul Gandhi's office vandalised in Wayanad : કેરળના વાયનાડમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ઇન્ડિયન યુથ કોંગ્રેસે એક ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે SFIના ઝંડા ધારણ કરેલા કેટલાક ગુંડાઓએ રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસની દિવાલ પર ચઢીને ઓફિસમાં તોડફોડ કરી હતી. આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી છે, તપાસની પણ વાત કરી છે.

કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે (KC Venugopal) આરોપ લગાવ્યો કે આ પોલીસની હાજરીમાં થયું છે. આ સીપીએમ નેતૃત્વનું સ્પષ્ટ કાવતરું છે. ED છેલ્લા 5 દિવસથી તેની પૂછપરછ કરી રહી છે. મને ખબર નથી કે કેમ કેરળ સીપીએમ નરેન્દ્ર મોદીની જેમ  કોંગ્રેસી નેતા પર હુમલો કરવાના માર્ગે જઈ રહ્યું છે. મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી પગલાં લેશે.

કોંગ્રેસના નેતાઓએ ઘટનાની નિંદા કરી 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ આ મામલે ટ્વીટ કર્યું અને લખ્યું કે વાયનાડમાં રાહુલ ગાંધીના કાર્યાલયમાં CPIની વિદ્યાર્થી પાંખ SFIના કાર્યકરોએ તોડફોડ કરી હતી. શું સીએમ પિનરાઈ વિજયન અને સીતારામ યેચુરી શિસ્તભંગના પગલાં લેશે અથવા તેમના મૌનને આવા વર્તનની નિંદા કરવા દેશે? શું આ તેમનો રાજકારણનો વિચાર છે? કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ સંગઠિત ગુંડાઓની ગુંડાગીરી છે. આ આયોજનબદ્ધ હુમલા માટે સીપીએમ સરકાર જવાબદાર છે. જુઓ ઓફિસમાં તોડફોડનો આ વિડીયો : 

સીએમ પિનરાઈ વિજયને કાર્યવાહીની વાત કરી હતી
બીજી તરફ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વાયનાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલય પર થયેલા હુમલાની નિંદા કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. રાહુલ ગાંધી વાયનાડથી લોકસભા સાંસદ છે. હાલમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

શા માટે ઓફિસમાં તોડફોડ કરી ?
આ તોડફોડનો મામલો સુપ્રીમ કોર્ટના એક આદેશ સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સંરક્ષિત વન અને અભયારણ્ય આસપાસનો 1 કિલોમીટરનો વિસ્તાર અતિ સંવેદનશીલ ઝોનમાં મુકવામાં આવશે. 

કેરળમાં આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રદર્શનકારીઓ આ અંગે રાહુલ ગાંધી પ્રતિક્રિયા આપે તેવી માંગ કરી રહ્યાં હતા. જો કે કેરળના વાયનાડથી સાંસદ હોવા છતાં રાહુલ ગાંધીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા ન આપતા તેમની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget