![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થામાં રાહુલ ગાંધીની સારવાર શરૂ, ઘણાં સમયથી હતો ઘૂંટણમાં દુખાવો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘૂંટણના ગંભીર દર્દથી પીડાઈ રહ્યા છે. રાહુલ ગાંધી કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં આયુર્વેદની સારવાર લઈ રહ્યા છે.
![100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થામાં રાહુલ ગાંધીની સારવાર શરૂ, ઘણાં સમયથી હતો ઘૂંટણમાં દુખાવો Rahul Gandhi started treatment at a 100-year-old Ayurvedic institute for long-standing knee pain 100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થામાં રાહુલ ગાંધીની સારવાર શરૂ, ઘણાં સમયથી હતો ઘૂંટણમાં દુખાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/6d5a1ed286346c50ee6daaed97a7f08d1690440502235723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Gandhi had knee pain: રાહુલ ગાંધી કેરળના મલપ્પુરમમાં ઘૂંટણના દુખાવાની સારવાર લઈ રહ્યા છે. તેઓ અહીં 100 વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થા કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં સારવાર લઈ રહ્યા છે. વૈદ્યશાળાના પી. મદનવનકુટ્ટી વારિયર અને કે. મુરલીધરનની સાથે ડોક્ટરોની એક ટીમ તેની સંભાળ લઈ રહી છે. તેઓ 29 જુલાઈ સુધી અહીં રહેશે.
આ દરમિયાન રાહુલે કોટ્ટક્કલ ખાતે શ્રી વિશ્વંભરા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ મંદિર આર્ય વૈદ્યશાળાના દર્દીઓ માટે આરામ અને શાંતિ માટે બનાવવામાં આવ્યું છે. આર્ય વૈદ્યશાળામાં દર્દીઓના મનોરંજન માટે પીએસવી નાટ્યસંગમ બનાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ અહીં કથકલી ડાન્સ પણ જોયો હતો.
ભારત જોડો યાત્રા દરમિયાન દુખાવો થતો હતો
ગયા વર્ષે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલને ઘૂંટણના દુખાવાની સમસ્યા થઈ હતી. તે સમયે તેઓ કેરળમાં હતા. પ્રવાસ પૂરો થતાં તેમણે જણાવ્યું કે એક સમયે ઘૂંટણનો દુખાવો એટલો વધી ગયો હતો કે પ્રવાસ ચાલુ રાખવો મુશ્કેલ હતો. જોકે રાહુલે ફિઝિયોથેરાપિસ્ટની મદદથી આ યાત્રા પૂર્ણ કરી હતી. ભારત જોડો યાત્રાએ 75 જિલ્લાઓ, 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા 136 દિવસમાં 4000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. રાહુલ ગાંધી રોજ ચાલતા હતા.
આર્ય વૈદ્યશાળા એ 100 વર્ષથી વધુ જૂની આયુર્વેદિક સંસ્થા છે
કેરળના મલપ્પુરમ જિલ્લામાં કોટ્ટક્કલ ખાતે પીએસ વોરિયર દ્વારા 1902માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા વિશ્વભરના દર્દીઓને આયુર્વેદિક સારવાર અને દવાઓ પૂરી પાડે છે. આર્ય વૈદ્ય સાલા પાસે કોટ્ટક્કલ, કાંજીકોડ અને નંજનગુડ ખાતે દવા ઉત્પાદન એકમો છે, જે 550 થી વધુ આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરે છે.
રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા
રાહુલ ગાંધી કેરળના વાયનાડ જિલ્લાના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. મોદી અટક માનહાનિના કેસમાં દોષિત ઠર્યા બાદ તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, ત્યારબાદ તેમની સંસદ સભ્ય તરીકેની સદસ્યતા છીનવાઈ ગઈ હતી.
જો SC તરફથી રાહત નહીં મળે તો તે 2031 સુધી ચૂંટણી લડી શકશે નહીં
જો રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. આ કેસમાં રાહુલને 23 માર્ચ 2023ના રોજ 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. નિયમો અનુસાર સજા પૂર્ણ થયા બાદ છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તેમની સજા 2025માં પૂર્ણ થશે અને ત્યારબાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)