શોધખોળ કરો

Rajpath Renamed: હવે આ નવા નામથી ઓળખાશે રાજપથ, જાણો

કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. રાજપથને હવે "કર્તવ્ય પથ" નામ આપવામાં આવશે. મોદી સરકારે રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને  "કર્તવ્ય પથ"  રાખવાનો નિર્ણય કર્યો છે.

Rajpath Name Changed: કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. રાજપથને હવે "કર્તવ્ય પથ" નામ આપવામાં આવશે. મોદી સરકારે રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને  "કર્તવ્ય પથ"  રાખવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ગુલામીમાંથી મુક્ત થવાની વાત કરી હતી. ત્યારથી રાજપથનું નામ બદલવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

સૂત્રોનું માનીએ તો 7મી સપ્ટેમ્બરે NDMCની મહત્વની બેઠક યોજાવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં જ સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. વડા પ્રધાન મોદીએ તેમના 15 ઓગસ્ટના ભાષણમાં  કોલોનિયલ  માનસિકતા સાથે સંબંધિત પ્રતીકોથી સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન પીએમએ 2047 સુધી ફરજોના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. "કર્તવ્ય પથ"ના નામકરણ પાછળ આ બંને પરિબળો જોઈ શકાય છે.

 

અગાઉ રેસકોર્સ રોડનું નામ બદલવામાં આવ્યું હતું

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા ગેટ સ્થિત નેતાજીની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર માર્ગ અને વિસ્તાર "કર્તવ્ય પથ" તરીકે ઓળખાશે. બ્રિટિશ કાળમાં રાજપથને કિંગ્સવે કહેવામાં આવતું હતું. સરકારી સૂત્રો કહે છે કે આ શાસક વર્ગ માટે પણ એક સંદેશ છે કે શાસકોનો યુગ પૂરો થયો છે. અગાઉ, જે રોડ પર પીએમનું નિવાસસ્થાન છે તેનું નામ પણ રેસકોર્સ રોડથી બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું.

PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરાશે

શિક્ષક દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે કે પીએમ શ્રી  (PM-SHRI)  યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આજે શિક્ષક દિવસ પર મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ, સમગ્ર ભારતમાં 14,500 શાળાઓને વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે. આ મોડેલ શાળાઓ બનશે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની સંપૂર્ણ ભાવનાને સમાવિષ્ટ કરશે.

પીએમ મોદીએ કહ્યું કે  PM-SHRI  યોજનાથી શાળાઓમાં શિક્ષણ આપવાનો આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી માર્ગ સાબિત થશે. આધુનિક ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમત અને વધુ સહિત આધુનિક ઇન્ફ્રા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાખ્યું છે. મને ખાતરી છે કે  PM-SHRI સ્કૂલ NEPની ભાવનાથી સમગ્ર ભારતના લાખો વિદ્યાર્થીઓને લાભ કરશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
Oil Crisis: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે 20 હજાર ટન LPG લઈને ટેન્કર ‘સિમી’ સુરક્ષિત પહોંચ્યું કંડલા
Oil Crisis: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે 20 હજાર ટન LPG લઈને ટેન્કર ‘સિમી’ સુરક્ષિત પહોંચ્યું કંડલા
અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, વિવિધ પ્રોજેક્ટ્સ અંગે અધિકારીઓ સાથે યોજી બેઠક
અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, વિવિધ પ્રોજેક્ટ્સ અંગે અધિકારીઓ સાથે યોજી બેઠક
Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો; પાકિસ્તાનને ફરી આપી ચેતવણી
Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો; પાકિસ્તાનને ફરી આપી ચેતવણી

વિડિઓઝ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ | ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અસહ્ય ગરમીથી રાહત ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનો નશો
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો
8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
Embed widget