![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'પ્રથમ વરસાદમાં જ પાણી ટપકવા લાગ્યું', રામ મંદિરને લઈ મુખ્ય પૂજારીનો મોટો દાવો
શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્યને લઈને મોટું નિવેદન આપ્યું છે, સાથે જ તેમણે રામ મંદિરને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે.
!['પ્રથમ વરસાદમાં જ પાણી ટપકવા લાગ્યું', રામ મંદિરને લઈ મુખ્ય પૂજારીનો મોટો દાવો Ram mandir chief priest acharya satyendra das said temple roof started turning wet in first rain 'પ્રથમ વરસાદમાં જ પાણી ટપકવા લાગ્યું', રામ મંદિરને લઈ મુખ્ય પૂજારીનો મોટો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/050904554808d1d91c7c549b12229eea171922967111878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Mandir Latest News: શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્યને લઈને મોટું નિવેદન આપ્યું છે, સાથે જ તેમણે રામ મંદિરને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે પહેલા વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવાની વાત કરી છે.
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્ય પર બોલતા કહ્યું કે જુલાઈ 2025 સુધીમાં કામ પૂર્ણ થવુ અશક્ય છે, પરંતુ જો એવું કહેવામાં આવી રહ્યું છે તો હું તેનો સ્વીકાર કરું છું. સાથે જ રામ મંદિરના નિર્માણ પર પણ સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે જ્યાં રામ લલ્લા બિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું છે, જેની તપાસ થવી જોઈએ.
2025 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ?
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિર વિશે મોટો ખુલાસો કરતા કહ્યું કે આ 2024 છે અને એક વર્ષ પછી 2025 છે, એક વર્ષમાં મંદિરનું નિર્માણ પૂર્ણ કરવું અશક્ય છે. વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાએ રામ લલ્લા બિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું છે, સાથે જ અન્ય સ્થળોએ પણ પાણી ટપકી રહ્યું છે. તેમણે આ અંગે તપાસની માંગ કરી છે.
"એક વર્ષમાં મંદિરનું નિર્માણ અશક્ય"
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જે રામ મંદિર બન્યું છે, ત્યાંથી પાણી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, ઉપરથી પાણી ટપકવા લાગ્યું છે. તેમણે કહ્યું કે આ સમસ્યા બહુ મોટી છે, આ સમસ્યાનું સૌથી પહેલા સમાધાન થવુ જોઈએ. મંદિરના નિર્માણને લઈને તેમણે કહ્યું કે જો એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025માં પૂર્ણ થઈ જશે તો તે સારી વાત છે, પરંતુ તે અશક્ય છે કારણ કે હજુ ઘણું નિર્માણ કરવાનું બાકી છે.
પ્રથમ વરસાદમાં જ ટપકવા લાગ્યું પાણી
તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યારે રામ મંદિરના મુખ્ય પૂજારી કહે છે કે પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. તેમણે તપાસની માંગ પણ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)