શોધખોળ કરો

NRCને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- હિન્દુ શરણાર્થીઓને જવા નહીં દઈએ અને ઘૂસણખોરોને રહેવા નહીં દઈએ

પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસીને લઈ ટીએમસી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસીને લઈ ટીએમસી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. કોલકાતામાં એનસીઆર સેમિનારમાં સંબોદન કરતાં શાહે કહ્યું, કોઈ હિન્દુ શરણાર્થીને દેશમાંથી જવા નહીં દઈએ અને કોઈ ઘૂસણખોરને દેશમાં રહેવા નહીં દઈએ. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને એનઆરસીના નામે ગુમરાહ કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો. એનઆરસીને લઈ સીએમ મમતા બેનર્જી પર પ્રહાર કરતા ગૃહમંત્રીએ કહ્યું, આ મુદ્દે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જી કહે છે કે એનઆરસી લાગુ થશે તો લાખો હિન્દુ શરણાર્થીઓને હાંકી કાઢવામાં આવશે પરંતુ આનાથી મોટું જૂઠ્ઠુ કોઈ નથી. કોઈપણ હિન્દુ, શીખ, જૈન, ખ્રિસ્તી શરણાર્થીઓને બહાર નહીં જવા દેવામાં આવશે. એનઆરસી પહેલા અમે સીએબીને લઈને આવીશું. જે બાદ આ શરણાર્થીઓને કાયમી નાગરિકતા આપવામાં આવશે.  એક પણ ઘૂસણખોરને રહેવા નહીં દેવામાં આવે, વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. ટીએમસી સહિત ડાબેરીઓ અને કોંગ્રેસને નિશાન બનાવતાં શાહે કહ્યું, તમામને મોકો મળ્યો, એક મોકો ભાજપને આપો. અમેં બંગાળને સોનાનું બનાવી દઈશું. લોકસભામાં ભાજપને 18 સીટો આઆપી, વધારે સીટો મમતા દીદીને આપી પરંતુ 18 સીટની અસર છે કે હવે મૂર્તિ વિસર્જન માટે કોર્ટ નહીં જવું પડે. સરસ્વતી પૂજા રોકવાની કે રામનવમી પર પ્રતિબંધ લગાવવાની કોઈ હિંમત નહીં કરે. બીજેપીની સરકાર બનશે તો તમારા તહેવારો ખુલીને મનાવી શકશો. કલમ 370 રદ કરવાને લઈ તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું પૂરું કર્યું. શ્યામા પ્રસાદ મુખર્ડીએ બે પ્રધાન, બે નિશાન ન હોવા જોઈએ તેવો નારો આપ્યો હતો. શ્યામા પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં જેલમાં તેમનું શંકાસ્પદ મોત થયું હતું.  મોદીજીએ કલમ 370 ખતમ કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ તેમણે ‘જહાં હુઆ બલિદાન મુખર્જી, વો કશ્મીર હમારા હૈ’ના નારા પણ લગાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
Ethanol Vs LPG: શું ઇથેનૉલ લઇ શકે છે LPG ની જગ્યા ? જાણો બન્ને ઇંધણોમાં શું છે મોટું અંતર
Ethanol Vs LPG: શું ઇથેનૉલ લઇ શકે છે LPG ની જગ્યા ? જાણો બન્ને ઇંધણોમાં શું છે મોટું અંતર

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget