![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Russia Ukraine war: યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, પંજાબનો રહેવાસી હતો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે
![Russia Ukraine war: યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, પંજાબનો રહેવાસી હતો Russia Ukraine war: another indian student died in ukraine Russia Ukraine war: યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, પંજાબનો રહેવાસી હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/8ef55ad3b8d30cf2bdef11affde4fb14_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. યુદ્ધના સાતમા દિવસે સવારથી જ રશિયન સૈનિક રાજધાની કિવ પર હુમલો કરી રહ્યા છે. કિવમાં સરકારી ઈમારતો પર હુમલા થઈ રહ્યા છે.
નોંધનીય છે કે બુધવારે યુક્રેનમાં મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. તે જ દિવસે એટલે કે મંગળવારે ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું એરસ્ટ્રાઈકમાં મોત થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી. મંગળવારે રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન હતું. તે કર્ણાટકનો રહેવાસી હતો.
યુક્રેન-રશિયા સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધના છેલ્લા છ દિવસમાં યુક્રેનની સેનાએ 6,000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)