શોધખોળ કરો

8 કરોડ વ્યુઝથી ભાજપ ગભરાઈ ગયું? AAPના એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર સંજય સિંહે કર્યા આકરા પ્રહાર!

સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે આમ આદમી પાર્ટીના ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પેજ બંધ; 28 દિવસમાં 80 મિલિયન લોકો સુધી પહોંચતા ભાજપ ગભરાઈ હોવાનો દાવો, નેતાઓની ધરપકડનો પણ ઉઠાવ્યો મુદ્દો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં AAP ના Facebook/Instagram એકાઉન્ટ સસ્પેન્ડ, ભાજપ પર આરોપ.
  • AAP નેતા સંજય સિંહે કહ્યું, '80 મિલિયન પહોંચતા ભાજપ ગભરાયું'.
  • AAP ગુજરાતમાં વિસ્તરી રહી, ભાજપ હતાશામાં નેતાઓની ધરપકડ કરાવે.
  • AAPનો અવાજ દબાવી શકાશે નહીં, ગુજરાતની જનતા બદલાવ લાવશે.
  • ગુજરાત AAP ના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા.
  • AAP ની વધતી ડિજિટલ લોકપ્રિયતાથી ડરીને ભાજપે આ કાર્યવાહી કરાવી હોવાનો દાવો.
  • ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓની ધરપકડનો આકરો વિરોધ.

AAP social media suspension Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) અને સત્તાધારી ભાજપ વચ્ચે નવો ડિજિટલ વિવાદ છેડાયો છે. રાઘવ ચઢ્ઢા સહિત AAP ના 7 રાજ્યસભા સાંસદોના પક્ષપલટાના એક દિવસ બાદ જ ગુજરાતમાં પાર્ટીના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે AAP ના દિગ્ગજ નેતા સંજય સિંહે સીધો ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે માત્ર 28 દિવસમાં જ AAP ની પોસ્ટ 80 મિલિયન (8 કરોડ) લોકો સુધી પહોંચી જતા ભાજપ ગભરાઈ ગઈ છે અને તેમના ઈશારે જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવવામાં આવ્યા છે.

નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા સંજય સિંહે આકરા પ્રહાર કરતા કહ્યું કે, "આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત પોતાનો વ્યાપ વધારી રહી છે અને જમીની સ્તરે સામાન્ય લોકોના પ્રશ્નો માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીને 14 ટકા જેટલા તોતિંગ વોટ મળ્યા હતા અને અમારા 5 ધારાસભ્યો જીત્યા હતા. લોકોનો આટલો બધો સપોર્ટ જોઈને ભાજપ હતાશ થઈ ગઈ છે." સંજય સિંહના કહેવા મુજબ, AAP ની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી એટલે આવી હરકતો કરી રહી છે.

સિંહે ભાજપ પર AAP નેતાઓને હેરાન કરવાનો આરોપ લગાવતા વધુમાં કહ્યું કે, ભાજપે પોતાની હતાશા છુપાવવા અમારા ઘણા નેતાઓની ખોટી રીતે ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને યુવા નેતા પ્રવીણ રામ જેવા નેતાઓને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ દ્વારા સતત અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહીના નામે ડરાવવામાં આવી રહ્યા છે.

અંતમાં સંજય સિંહે વિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, ભાજપ અમારા અવાજને દબાવવા ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણ તેઓ આમાં સફળ નહીં થાય. ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને તેઓ આવનારી ચૂંટણીઓમાં રાજ્યમાં ચાલી રહેલા ભાજપના છેલ્લા 30 વર્ષના 'કુશાસન' ને ચોક્કસથી જાકારો આપશે.

Frequently Asked Questions

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના કયા સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AAP ના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવા પાછળ AAP શું આરોપ લગાવી રહી છે?

AAP નો આરોપ છે કે ગુજરાતમાં પાર્ટીની પોસ્ટ 80 મિલિયન (8 કરોડ) લોકો સુધી પહોંચી જતા ભાજપ ગભરાઈ ગઈ છે અને તેમના ઈશારે એકાઉન્ટ બંધ કરાવવામાં આવ્યા છે.

AAP ગુજરાતમાં શા માટે પોતાનો વ્યાપ વધારી રહી છે તેવું સંજય સિંહ કહી રહ્યા છે?

સંજય સિંહના મતે, AAP ગુજરાતમાં જમીની સ્તરે સામાન્ય લોકોના પ્રશ્નો માટે લડી રહી છે અને તેમને લોકોનો સપોર્ટ મળી રહ્યો છે, જે ભાજપને હતાશ કરી રહ્યો છે.

ભાજપ AAP નેતાઓને હેરાન કરવાનો આરોપ શું છે?

સંજય સિંહના આરોપ મુજબ, ભાજપે પોતાની હતાશા છુપાવવા માટે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને યુવા નેતા પ્રવીણ રામ જેવા ઘણા નેતાઓની ખોટી ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Embed widget