શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓને કેટલા ટકા ફી માફી આપવા માટે સ્કૂલ સંચાલકો થયા તૈયાર ? શાની જોઈ રહ્યા છે રાહ ?
સરકારે હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે સ્કૂલ સંચાલકો સાથે કોમન ફોર્મુલા તૈયાર થઇ શકી નથી.
અમદાવાદઃ રાજ્યમાં સ્કૂલ ફીને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે વાલીઓને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. ખાનગી સ્કૂલ સંચાલકો સ્કૂલ ફી માફ કરવા માટે તૈયાર છે પરંતુ તેમની કેટલીક શરતો છો. જોકે હાલમાં સંચાલકો સરાકર સાથે મંત્રણાની રાહ જોઈ રહ્યા છે.
સરકારે હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે સ્કૂલ સંચાલકો સાથે કોમન ફોર્મુલા તૈયાર થઇ શકી નથી. જેથી હાઇકોર્ટ પાસે દિશા નિર્દેશો માંગ્યા હતા. સ્કૂલ સંચાલકોના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સંચાલકો 15 ટકા સુધની ફી માફ કરવા તૈયાર છે અને જો આ કરતાં વધારે ફી માફ કરવી હોય તો તેના માટે આવકના દસ્તાવેજ આપવાના હેશે.
સંચાલકો બીજી પણ એક ફોર્મ્યુલા લઈને આવ્યા છે જે અનુસાર તેઓ 100 ટકા સુધીની ફી માફ કરવા તૈયાર છે. પરંતુ તેઓ માત્ર જરૂરિયાતમંદ વાલીઓને જ લાભ આપશે.
જે વાલીઓ ફી માફી ઇચ્છે છે તેમની પાસે સંચાલકો દ્વારા લોકડાઉન લાગુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીની બેંક સ્ટેટમેન્ટની સાથે ઇન્કમટેક્સ રિર્ટન માગવામાં આવશે. જો લોન હોય તો તેના પણ દસ્તાવેજ માગવામાં આવશે. આમ લોકડાઉન દરમિયાન જે વાલીઓની આવકામાં અસામાન્ય ઘટાડો નોંધાયો હશે તેને જ ફી માફીનો લાભ મળશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion