શોધખોળ કરો
બારામૂલા હુમલો બે આતંકવાદી નિકળ્યા પાકિસ્તાની,આતંકી સંગઠન જૈશે એ મોહમ્મદના હોવાની શંકા

નવી દિલ્લી: રવિવારે રાત્રે સાડા દસ વાગે બારામુલા સ્થિત 46 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બીએસએફના કેમ્પો પર આતંકવાદીઓએ ફિદાયિન હુમલો કર્યો હતો. જેમાં બે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે, આ બંને આતંકવાદીઓ પાકિસ્તાનના હોવાના પૂરાવા પણ મળ્યા છે, તેમજ આ બંને આરોપીઓ જૈશે એ મોહમ્મદ આતંકી સંગઠનના હોવાની શંકા છે. આ હુમલામાં બીએસએફનો એક સંત્રી શહીદ થઈ ગયો હતો. ઉરી હુમલાના માત્ર 14 દિવસની અંદર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કર ઉપર આ બીજો મોટો હુમલો છે. આતંકીના બે જૂથે 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર રવિવારે રાત્રે સાડા દસ વાગે હુમલો કર્યો હતો. એક જૂથે પાર્કના રસ્તે કેમ્પમાં જ્યારે બીજા જૂથે ઝેલમ નદી તરફથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. સૈન્યએ આતંકીઓને કેમ્પમાં ઘૂસતા અટકાવ્યા હતા.
Before You Go
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી





















