શોધખોળ કરો

શું એકનાથ શિંદે ફરી CM બનશે? શિવસેનાના મંત્રીએ આપ્યો મોટો સંકેત, મહારાષ્ટ્રમાં ખળભળાટ

Eknath Shinde news: BMC ચૂંટણી ઉદ્ધવ સેના માટે 'અસ્તિત્વની લડાઈ', શિરસાતે કહ્યું- તેમની પાસે હવે કાર્યકર્તાઓ જ બચ્યા નથી, ભવિષ્યમાં NDA લેશે નેતૃત્વનો નિર્ણય.

Eknath Shinde news: મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમાયું છે. રાજ્ય સરકારના મંત્રી અને શિંદે જૂથના નેતા સંજય શિરસાતે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથ (UBT) પાસે હવે પાયાના કાર્યકર્તાઓ બચ્યા નથી, તેથી BMC ચૂંટણીમાં તેમની હાર નિશ્ચિત છે. આ સાથે જ, એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બની શકે છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે.

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ હવે BMC ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સોમવારે (15 December) શિંદે સરકારના કેબિનેટ મંત્રી સંજય શિરસાતે વિપક્ષી નેતા ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેના (UBT) ની વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા હતા. શિરસાતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી મ્યુનિસિપલ ચૂંટણી ઉદ્ધવ જૂથ માટે 'અસ્તિત્વ ટકાવી રાખવાની છેલ્લી લડાઈ' સાબિત થશે. તેમના મતે, ઉદ્ધવ ઠાકરેના અહંકારી વલણને કારણે પક્ષના વફાદાર કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની સાથે છેડો ફાડી ચૂક્યા છે.

સંજય શિરસાતે પત્રકારો સાથે વાત કરતા દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જનતા સાથે સીધો સંપર્ક ધરાવતા નથી અને ન તો તેઓ પોતાના પક્ષના કાર્યકર્તાઓને સમર્થન આપે છે. જેના પરિણામે શિવસેના (UBT) હવે નામશેષ થવાના આરે છે. ગણિત માંડતા તેમણે કહ્યું કે, છેલ્લી ચૂંટણીમાં ચૂંટાયેલા લગભગ 55 થી 57 જેટલા નગરસેવકો (કાઉન્સિલરો) અત્યારે શિંદે જૂથની સાથે છે. ઉદ્ધવ ઠાકરેની હાલત એવી છે કે હવે તેમણે ચૂંટણી લડવા માટે નવા ઉમેદવારો શોધવા ફાંફાં મારવા પડશે.

શિરસાતે વિપક્ષના નેતા પદના મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, વિધાનસભાના શિયાળુ સત્રમાં લોકોના પ્રશ્નો ઉઠાવવાને બદલે ઠાકરેનું એકમાત્ર લક્ષ્ય વિપક્ષના નેતાનું પદ મેળવવાનું હતું. મુંબઈમાં શિવસેના (UBT) નો જનાધાર તૂટી રહ્યો છે અને ચૂંટણી પછી આ પક્ષ કઈ દિશામાં જશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન એ છે કે શું એકનાથ શિંદે ભવિષ્યમાં ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે? આ અંગે 'બહુજન વિકાસ આઘાડી'ના નેતા પ્રકાશ આંબેડકરે પણ દાવો કર્યો હતો. આ અટકળો પર જવાબ આપતા સંજય શિરસાતે કહ્યું હતું કે, અત્યારે આ વિષય પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જોકે, તેમણે ભવિષ્યની સંભાવનાઓને નકાર્યા વિના કહ્યું કે, "આવા મહત્વપૂર્ણ નિર્ણયો ભવિષ્યમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) અને મહાયુતિના નેતાઓ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવશે." તેમના આ નિવેદને રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે.

મહાયુતિ ગઠબંધનમાં ટિકિટ વહેંચણી અંગે પણ તેમણે સ્વીકાર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ માટે ભારે માંગ છે. શાસક પક્ષમાં ટિકિટ ઈચ્છુકોની સંખ્યા વધુ હોવાથી, જે નેતાઓને ટિકિટ નહીં મળે તેઓ નારાજ થઈને પક્ષપલટો કરે તેવી શક્યતા પણ તેમણે નકારી ન હતી. આમ, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મોટા રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Embed widget