શોધખોળ કરો

Supreme Court: કોચિંંગ સંસ્થાઓ નહી, માતા-પિતા બની રહ્યા છે કોટામાં વિદ્યાર્થીઓના આપઘાતનું કારણઃ સુપ્રીમ કોર્ટ

Supreme Court: સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે કોટા કોચિંગ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે

સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે કોટા કોચિંગ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમજ વાલીઓ પર આકરી ટીપ્પણી કરી હતી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યા માટે કોચિંગ સંસ્થાઓને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી કારણ કે માતા-પિતાની અપેક્ષાઓ પણ બાળકોને તેમના જીવનનો અંત લાવવા માટે મજબૂર કરી રહી છે.'                                         

માતા-પિતાનું દબાણ આત્મહત્યાનું કારણ છે 

કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકો વચ્ચેની કઠિન સ્પર્ધા અને તેમના માતા-પિતાનું દબાણ આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓનું કારણ છે.                            

કોર્ટે કહ્યું કે આપણામાંથી મોટા ભાગનાને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પસંદ નથી. આજકાલ પરીક્ષાઓ એટલી સ્પર્ધાત્મક બની ગઈ છે અને માતા-પિતાને તેમના બાળકો પાસેથી એટલી બધી અપેક્ષાઓ હોય છે કે તેઓ તેને પૂરી કરી શકતા નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો અડધા કે એક માર્કથી નાપાસ થાય છે.          

સમસ્યા માતા-પિતાની છે, કોચિંગ સંસ્થાઓની નહીં.

કોટામાં ખાનગી કોચિંગ સંસ્થાઓને નિયમન કરવા અને તેમના માટે લઘુત્તમ ધોરણો નક્કી કરવા માટે કાયદો બનાવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બે સભ્યોની બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સમસ્યા માતા-પિતાની છે કોચિંગ સંસ્થાઓની નહીં.              

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સલાહ આપી કે અરજદાર રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. કારણ કે ઉલ્લેખિત કેસ મોટાભાગે કોટા સાથે સંબંધિત છે. જોકે, કોટામાં આત્મહત્યા એક મોટો પડકાર બની ગયો છે. આંકડાઓ આ વાતની સાક્ષી પૂરે છે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં કોટામાં 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget