શોધખોળ કરો

Supreme Courtએ કહ્યુ- 'VRS લેનારા કર્મચારીઓ સમાન અધિકારનો દાવો કરી શકે નહી'

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે VRS પસંદ કરનારા કર્મચારીઓ નિવૃત્તિની વય પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારાઓ સાથે સમાન અધિકારોનો દાવો કરી શકતા નથી.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે VRS પસંદ કરનારા કર્મચારીઓ નિવૃત્તિની વય પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારાઓ સાથે સમાન અધિકારોનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટનું અવલોકન બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી સેવાઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્ત લેનારા કર્મચારીઓની અપીલની સુનાવણી કરતી વખતે કર્યું હતું.  વીઆરએસ લેનારા કર્મચારીઓએ અપીલમાં કહ્યું હતું કે તેમને પગાર ધોરણમાં સુધારાથી વંચિત કરવામાં આવ્યા છે.

જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને એસ રવિન્દ્ર ભટની બેન્ચે અવલોકન કર્યું હતું કે જે કર્મચારીઓએ VRSના લાભો મેળવ્યા છે અને જેમણે મહારાષ્ટ્ર સ્ટેટ ફાઇનાન્સિયલ કોર્પોરેશન (MSFC) ની સેવા છોડનારા કર્મચારીઓ અલગ સ્થિતિમાં છે.

ખંડપીઠે કહ્યું હતું કે એવું માનવામાં આવે છે કે VRS કર્મચારીઓ નિવૃત્તિની ઉંમર પ્રાપ્ત કર્યા પછી નિવૃત્ત થનારા અન્ય લોકો સાથે સમાન અધિકારનો દાવો કરી શકતા નથી. તેઓ એવા લોકો સાથે સમાનતાનો દાવો કરી શકતા નથી જેમણે સતત કામ કર્યું, તેમની ફરજો નિભાવી અને પછી નિવૃત્ત થયા હતા.

કોર્ટે કહ્યું હતું કે આમાં એક વિશાળ જાહેર હિત પણ સામેલ છે. તે જાહેર ક્ષેત્રના અધિકારીઓ અને કર્મચારીઓના વેતનના સુધારા સાથે સંબંધિત છે. સારી સાર્વજનિક નીતિ એ છે જે સંઘ અને રાજ્ય સરકારો અને અન્ય સાર્વજનિક સમજે જેણે સમયાંતરે પગારમાં સુધારો કરવો પડે છે.

દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો નિર્ણય

આ કારણે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે VRS લેનારા કર્મચારીઓ પણ સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી શકે છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના કર્મચારીઓને મોટી રાહત આપતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે VRS નિયમો સરકારી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ/કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં કોઈ અડચણ નહીં બને. જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને અનૂપ કુમાર મેંદિરત્તાની બેન્ચે BSNLમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયેલા બે કર્મચારીઓની અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો છે.

NHRCની કેન્દ્ર-રાજ્યોને નૉટિસ, પુછ્યુ- કારખાનાઓમાં મજૂરોની સાથે થનારી દૂર્ઘટનાઓને રોકવા માટે શું કહ્યું ?

NHRC On Workers High Death Rate: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રજીસ્ટર કારખાનઓમાં દૂર્ઘટનાઓમાં મજૂરોના ઉચ્ચ મૃત્યુદર (High Death Rate Of Workers) અને તેના માનવાધિકારો (Human Rights Of Workers)ની સુરક્ષા નક્કી કરવા માટે કરવામાં આવેલા ઉપાયો પર કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નૉટિસ પાઠવી છે. માનવાધિકારો આયોગનું માનવુ છે કે, કારખાનાઓ સહિત જુદાજુદા વ્યાવસાયિક ઉદ્યમોમાં શ્રમિકોના માનવાધિકારોના વિશે ગંભીર ચિંતાઓ પેદા થઇ રહી છે. 

માનવાધિકારો આયોગે નોટિસમાં કહ્યું છે કે, કાનૂન અતંર્ગત નોકરી આપનારા (નિયોક્તાઓ) અને કર્મચારીઓની વચ્ચે કૉન્ટેક્ટ કરીને માનવાધિકાર જોખમ ઓછુ કરી શકાય છે. આયોગે નૉટિસમાં કારખાનાઓમાં દૂર્ઘટનાઓનું કારણ અને મજૂરોના મોતો સંબંધિત વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે પણ કહ્યું છે. 

સરકારોએ આપવો પડશે 2017 થી 22 સુધીનો ડેટા - 
માનવાધિકાર આયોગો નૉટિસમાં કહ્યું કે, રિપોર્ટમાં 2017 થી 2022 સુધીની સમય મર્યાદા માટે અભિયોજન સહિત દોષી ફેક્ટ્રી માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરનારા મુખ્ય નિરીક્ષકની વર્ષવાર જાણકારી સામેલ હોવી જોઇએ. આની સાથે તે ઉપાયોની પણ જાણકારી રિપોર્ટમાં હોવી જોઇએ, જે રાજ્ય તથા કેન્દ્ર સરકાર મજૂરોને દૂર્ઘટનાથી બચાવવા માટે કર્યુ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
Embed widget