શોધખોળ કરો

EWS Reservation: EWS અનામત પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી પૂરી કરી, ટૂંક સમયમાં આવશે નિર્ણય 

સર્વોચ્ચ અદાલતે (Supreme Court)સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાના વિરોધમાં દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે.

Plea In SC On EWS Reservation: સર્વોચ્ચ અદાલતે (Supreme Court)સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાના વિરોધમાં દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત(Uday Umesh Lalit) ની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 7 દિવસ સુધી તમામ પક્ષકારોની વિસ્તારથી સાંભળ્યા. 

જાન્યુઆરી 2019 માં, કેન્દ્ર સરકારે સંસદમાં 103મો બંધારણીય સુધારો ઠરાવ પસાર કરીને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી. આને પડકારતી અરજીઓ પર બંધારણીય બેંચે 13 સપ્ટેમ્બરથી આ મામલે વિગતવાર સુનાવણી શરૂ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ લલિત ઉપરાંત, આ બંધારણીય બેંચના અન્ય ચાર સભ્યો છે - જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવિન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને પારડીવાલા.

અરજદારની દલીલ

5 ઓગસ્ટ 2019ના રોજ, સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ સામે દાખલ કરેલી અરજીઓને બંધારણીય બેંચને સોંપી. આ કેસમાં એનજીઓ જનહિત અભિયાન સહિત 30થી વધુ અરજીકર્તાઓએ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીઓમાં બંધારણની કલમ 15 અને 16માં સુધારાને પડકારવામાં આવ્યો હતો. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે આરક્ષણનો હેતુ સદીઓથી સામાજિક ભેદભાવનો ભોગ બનેલા વર્ગના ઉત્થાનનો હતો. તેથી, આર્થિક આધારો પર આરક્ષણએ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. જો કોઈ વર્ગ આર્થિક રીતે નબળો હોય તો તેને અન્ય રીતે મદદ કરવી જોઈએ.


સરકાર ક્યારે અનામત આપવાની હતી ?

અરજદાર પક્ષ તરફથી હાજર રહેલા વકીલોએ એમ પણ કહ્યું કે જો સરકારે ગરીબીના આધારે અનામત આપવી હોય તો આ 10 ટકા આરક્ષણમાં પણ એસસી, એસટી અને ઓબીસી માટે સિસ્ટમ બનાવવી જોઈતી હતી. વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે સરકારે જરૂરી ડેટા એકત્ર કર્યા વિના અનામત માટે કાયદો બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનામતને 50 ટકા સુધી સીમિત કરવાનો નિર્ણય આપ્યો હતો, આ જોગવાઈ દ્વારા તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

શું છે સરકારની દલીલ?

સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે આ આરક્ષણનો બચાવ કરતા કહ્યું:-

કુલ અનામતના 50 ટકાની મર્યાદા રાખવી એ બંધારણીય જોગવાઈ નથી. માત્ર સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.
તમિલનાડુમાં 68 ટકા અનામત છે. જેને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો ન હતો.
અનામતનો કાયદો બનાવતા પહેલા બંધારણની કલમ 15 અને 16માં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા.
આર્થિક રીતે નબળા વર્ગોને સમાનતાનો દરજ્જો આપવા માટે આ વ્યવસ્થા જરૂરી છે.

નિર્ણય જલ્દી આવી શકે છે

મુખ્ય ન્યાયાધીશ લલિત (Uday Umesh Lalit)નો કાર્યકાળ 8 નવેમ્બર સુધી જ છે. નિયમો અનુસાર, જે ન્યાયાધીશ કેસની સુનાવણી પૂર્ણ કરે છે, તે નિવૃત્ત થતાં પહેલાં તેનો ચુકાદો આપે છે. આવી સ્થિતિમાં એ નિશ્ચિત છે કે 8 નવેમ્બર સુધીમાં EWS અનામતની માન્યતા પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) નો નિર્ણય આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Embed widget