શોધખોળ કરો

EWS Reservation: EWS અનામત પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી પૂરી કરી, ટૂંક સમયમાં આવશે નિર્ણય 

સર્વોચ્ચ અદાલતે (Supreme Court)સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાના વિરોધમાં દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે.

Plea In SC On EWS Reservation: સર્વોચ્ચ અદાલતે (Supreme Court)સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાના વિરોધમાં દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત(Uday Umesh Lalit) ની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 7 દિવસ સુધી તમામ પક્ષકારોની વિસ્તારથી સાંભળ્યા. 

જાન્યુઆરી 2019 માં, કેન્દ્ર સરકારે સંસદમાં 103મો બંધારણીય સુધારો ઠરાવ પસાર કરીને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી. આને પડકારતી અરજીઓ પર બંધારણીય બેંચે 13 સપ્ટેમ્બરથી આ મામલે વિગતવાર સુનાવણી શરૂ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ લલિત ઉપરાંત, આ બંધારણીય બેંચના અન્ય ચાર સભ્યો છે - જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવિન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને પારડીવાલા.

અરજદારની દલીલ

5 ઓગસ્ટ 2019ના રોજ, સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ સામે દાખલ કરેલી અરજીઓને બંધારણીય બેંચને સોંપી. આ કેસમાં એનજીઓ જનહિત અભિયાન સહિત 30થી વધુ અરજીકર્તાઓએ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીઓમાં બંધારણની કલમ 15 અને 16માં સુધારાને પડકારવામાં આવ્યો હતો. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે આરક્ષણનો હેતુ સદીઓથી સામાજિક ભેદભાવનો ભોગ બનેલા વર્ગના ઉત્થાનનો હતો. તેથી, આર્થિક આધારો પર આરક્ષણએ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. જો કોઈ વર્ગ આર્થિક રીતે નબળો હોય તો તેને અન્ય રીતે મદદ કરવી જોઈએ.


સરકાર ક્યારે અનામત આપવાની હતી ?

અરજદાર પક્ષ તરફથી હાજર રહેલા વકીલોએ એમ પણ કહ્યું કે જો સરકારે ગરીબીના આધારે અનામત આપવી હોય તો આ 10 ટકા આરક્ષણમાં પણ એસસી, એસટી અને ઓબીસી માટે સિસ્ટમ બનાવવી જોઈતી હતી. વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે સરકારે જરૂરી ડેટા એકત્ર કર્યા વિના અનામત માટે કાયદો બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનામતને 50 ટકા સુધી સીમિત કરવાનો નિર્ણય આપ્યો હતો, આ જોગવાઈ દ્વારા તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

શું છે સરકારની દલીલ?

સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે આ આરક્ષણનો બચાવ કરતા કહ્યું:-

કુલ અનામતના 50 ટકાની મર્યાદા રાખવી એ બંધારણીય જોગવાઈ નથી. માત્ર સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.
તમિલનાડુમાં 68 ટકા અનામત છે. જેને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો ન હતો.
અનામતનો કાયદો બનાવતા પહેલા બંધારણની કલમ 15 અને 16માં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા.
આર્થિક રીતે નબળા વર્ગોને સમાનતાનો દરજ્જો આપવા માટે આ વ્યવસ્થા જરૂરી છે.

નિર્ણય જલ્દી આવી શકે છે

મુખ્ય ન્યાયાધીશ લલિત (Uday Umesh Lalit)નો કાર્યકાળ 8 નવેમ્બર સુધી જ છે. નિયમો અનુસાર, જે ન્યાયાધીશ કેસની સુનાવણી પૂર્ણ કરે છે, તે નિવૃત્ત થતાં પહેલાં તેનો ચુકાદો આપે છે. આવી સ્થિતિમાં એ નિશ્ચિત છે કે 8 નવેમ્બર સુધીમાં EWS અનામતની માન્યતા પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) નો નિર્ણય આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget