શોધખોળ કરો

EWS Reservation: EWS અનામત પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી પૂરી કરી, ટૂંક સમયમાં આવશે નિર્ણય 

સર્વોચ્ચ અદાલતે (Supreme Court)સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાના વિરોધમાં દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે.

Plea In SC On EWS Reservation: સર્વોચ્ચ અદાલતે (Supreme Court)સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાના વિરોધમાં દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત(Uday Umesh Lalit) ની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 7 દિવસ સુધી તમામ પક્ષકારોની વિસ્તારથી સાંભળ્યા. 

જાન્યુઆરી 2019 માં, કેન્દ્ર સરકારે સંસદમાં 103મો બંધારણીય સુધારો ઠરાવ પસાર કરીને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી. આને પડકારતી અરજીઓ પર બંધારણીય બેંચે 13 સપ્ટેમ્બરથી આ મામલે વિગતવાર સુનાવણી શરૂ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ લલિત ઉપરાંત, આ બંધારણીય બેંચના અન્ય ચાર સભ્યો છે - જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવિન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને પારડીવાલા.

અરજદારની દલીલ

5 ઓગસ્ટ 2019ના રોજ, સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ સામે દાખલ કરેલી અરજીઓને બંધારણીય બેંચને સોંપી. આ કેસમાં એનજીઓ જનહિત અભિયાન સહિત 30થી વધુ અરજીકર્તાઓએ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીઓમાં બંધારણની કલમ 15 અને 16માં સુધારાને પડકારવામાં આવ્યો હતો. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે આરક્ષણનો હેતુ સદીઓથી સામાજિક ભેદભાવનો ભોગ બનેલા વર્ગના ઉત્થાનનો હતો. તેથી, આર્થિક આધારો પર આરક્ષણએ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. જો કોઈ વર્ગ આર્થિક રીતે નબળો હોય તો તેને અન્ય રીતે મદદ કરવી જોઈએ.


સરકાર ક્યારે અનામત આપવાની હતી ?

અરજદાર પક્ષ તરફથી હાજર રહેલા વકીલોએ એમ પણ કહ્યું કે જો સરકારે ગરીબીના આધારે અનામત આપવી હોય તો આ 10 ટકા આરક્ષણમાં પણ એસસી, એસટી અને ઓબીસી માટે સિસ્ટમ બનાવવી જોઈતી હતી. વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે સરકારે જરૂરી ડેટા એકત્ર કર્યા વિના અનામત માટે કાયદો બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનામતને 50 ટકા સુધી સીમિત કરવાનો નિર્ણય આપ્યો હતો, આ જોગવાઈ દ્વારા તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

શું છે સરકારની દલીલ?

સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે આ આરક્ષણનો બચાવ કરતા કહ્યું:-

કુલ અનામતના 50 ટકાની મર્યાદા રાખવી એ બંધારણીય જોગવાઈ નથી. માત્ર સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.
તમિલનાડુમાં 68 ટકા અનામત છે. જેને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો ન હતો.
અનામતનો કાયદો બનાવતા પહેલા બંધારણની કલમ 15 અને 16માં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા.
આર્થિક રીતે નબળા વર્ગોને સમાનતાનો દરજ્જો આપવા માટે આ વ્યવસ્થા જરૂરી છે.

નિર્ણય જલ્દી આવી શકે છે

મુખ્ય ન્યાયાધીશ લલિત (Uday Umesh Lalit)નો કાર્યકાળ 8 નવેમ્બર સુધી જ છે. નિયમો અનુસાર, જે ન્યાયાધીશ કેસની સુનાવણી પૂર્ણ કરે છે, તે નિવૃત્ત થતાં પહેલાં તેનો ચુકાદો આપે છે. આવી સ્થિતિમાં એ નિશ્ચિત છે કે 8 નવેમ્બર સુધીમાં EWS અનામતની માન્યતા પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) નો નિર્ણય આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget