શોધખોળ કરો

દેશના ક્યા રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં લદાયું બે દિવસનું લોકડાઉન, બકરી ઈદની છૂટ ભારે પડ્યાના આક્ષેપ

સતત ત્રીજા દિવસે કોરોનાના 22,000થી નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારે કોરોનાના 22064 નવા કેસ સામે આવ્યા અને 128 લોકના મોત થયા છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

કેરળમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 22,000થી નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારે કોરોનાના 22064 નવા કેસ સામે આવ્યા અને 128 લોકના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33 લાખ 49 હજાર 365 અને મૃતકોની સંખ્યા વધીને 16,585 થઈ ગઈ ચે. છેલ્લા 24 કલાકમાં 1,63,098 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા અને પોઝિટિવીટી રેટ 13.53 ટકા નોંધઆયો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,96,792 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેરળમાં બકરી-ઈદની રજામાં રાજ્ય સરકારે આપેલી છૂટને પગલે કોરોનાના કેસમાં અચાનક ઊછાળો આવ્યો હતો.

કેરળમાં હાલમાં 154280 દર્દીની સારવાર ચાલી રહી છે એટલે અને અત્યાર એટલે કે આટલા એક્ટિવ કેસ હજુ પણ રાજ્યમાં છે.

જણાવીએ કે કેરળમાં બુધવારે કોરોનાના 22056 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 131 દર્દીના મોત થયા હતા. જ્યારે રાજ્યમાં સોમવારે 11586 અને મંગળવારે 22129 નવા કેસ આવ્યા હતા.

સંશોધકોએ જણાવ્યું હતું કે કેરળમાં આર-ફેક્ટરની વૃદ્ધિના કારણે  કોરોનાના કેસમાં વધારો થયો છે. આર-ફેક્ટર દેશમાં કોરોનાના કેસના પ્રસારમાં થયેલા વધારાના સંકેત આપે છે. કેરળ ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ આર-ફેક્ટરમાં વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.

દેશમાં કેરળ એક એવું રાજ્ય છે જ્યાં હાલમાં સૌથી વધારે નવા કેસ આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ રાજ્યમાં ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થઅય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “કેન્દ્ર સરકાર એનસીડીસી ડાયરેક્ટરની આગેવાનીમાં છ સભ્યોની ટીમ કેરળ મોકલી રહી છે. કેરળમાં કોરોનાના કેસ હજુ પણ વધારે સામે આવી રહ્યા છે જેના કારણે ટીમ કોવિડ મેનેજમેન્ટમાં રાજ્યને મદદ કરશે.”

મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટીમ રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે નજીકથી કામ કરશે, જમીની સ્થિતિનો તાગ મેળવશે.

ડરાવનારી બાબત એ છે કે દેશના કુલ કોરોના કેસમાંથી ૫૦%થી ઉપર કેસો એકલા કેરળમાંથી છે. આરોગ્ય મંત્રાલય એવુ કહે છે કે અહીં કેસો વધવા પાછળના ખાસ કારણોમાં ૬૬% વસ્તી કોરોના સંક્રમણના ઘેરાવામાં આવી ગઈ છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સ્ટ્રેટજી ઉપર ઓછુ ધ્યાન આપવુ અને ઈદના તહેવારો ઉપર છૂટ એ મુખ્ય કારણો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી તો અન્ય રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી તો અન્ય રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
કેરલમ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
કેરલમ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
OBC Creamy Layer: 'ફક્ત આવકના આધારે ક્રીમી લેયર નક્કી ન કરી શકાય,' OBC અનામતને લઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
OBC Creamy Layer: 'ફક્ત આવકના આધારે ક્રીમી લેયર નક્કી ન કરી શકાય,' OBC અનામતને લઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
'5 દિવસમાં 28% વધ્યું LPG ઉત્પાદન' પેટ્રોલ-ડીઝલની પણ કોઈ અછત નહીં,લોકસભામાં બોલ્યા હરદીપ પુરી  
'5 દિવસમાં 28% વધ્યું LPG ઉત્પાદન' પેટ્રોલ-ડીઝલની પણ કોઈ અછત નહીં,લોકસભામાં બોલ્યા હરદીપ પુરી  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget