શોધખોળ કરો

Bageshwar Dham: ધીરેન્દ્ર શાસ્ત્રીના જીવને ખતરો? ફોન પર મળી ધમકી

મળતી માહિતી મુજબ અમર સિંહ નામના વ્યક્તિએ તેમને ફોન પર ધમકી આપી છે

Bageshwar Dham Dhirendra Shastri Threat Call: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં વિવાદોમાં છે. તેના પર આરોપ છે કે તે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે અને પોતાને ચમત્કારી ગણાવે છે. તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના સંબંધી લોકેશ ગર્ગને ધમકીઓ મળી છે. લોકેશ ગર્ગે મધ્યપ્રદેશના છતરપુરમાં ધમકીઓ મળવાની ફરિયાદ નોંધાવી છે. લોકેશ ગર્ગ સંબંધમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પિતરાઈ ભાઈ છે.

ઉત્તરક્રિયાની કરો તૈયારીઓ

મળતી માહિતી મુજબ અમર સિંહ નામના વ્યક્તિએ તેમને ફોન પર ધમકી આપી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ લોકેશને ફોન પર કહ્યું હતું કે, તારા પરિવારના સભ્યો ઉત્તરક્રિયાની તૈયારી કરી લે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

લોકેશ ગર્ગને ધમકી મળતા જ તેણે સીધો પોલીસનો સંપર્ક કર્યો અને એફઆઈઆર નોંધાવી હતી. અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશના છતરપુરની બમિઠા પોલીસે આ મામલે કલમ 506 અને 507 હેઠળ એફઆઈઆર નોંધી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદોમાં છે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં કથિત રીતે અંધશ્રદ્ધા ફેલાવવાના કારણે વિવાદમાં છે. આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની તર્જ પર નવો નારો આપ્યો છે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, સુભાષચંદ્ર બોઝે સૂત્ર આપ્યું હતું કે તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ, આજે હું સૂત્ર આપું છું કે તમે મારો સાથ આપો તો હું હિંદુરાષ્ટ્ર બનાવીશ. આજે હું જાહેરાત કરું છું કે ભારત હિંદુ રાષ્ટ્ર છે.

ઉત્તર પ્રદેશના બસ્તીથી ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે. બીજેપી સાંસદે કહ્યું કે આખા દેશે ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપવું જોઈએ, તેઓ સનાતનનો પ્રચાર કરી રહ્યા છે. આ સાથે બીજેપી સાંસદે કહ્યું કે જેમને ધીરેન્દ્ર શાસ્ત્રીનો ચમત્કાર પસંદ નથી તેમણે તેમની પાસે ન જવું જોઈએ.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં શ્રી રામ ચરિત્ર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કોર્ટ ચાલી હતી જેમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ તેમના પર મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર દિવ્ય દરબાર અને પ્રીત દરબારની આડમાં મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. ત્યારથી વિવાદ ચાલુ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો
Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
Embed widget