શોધખોળ કરો

એર સ્ટ્રાઇક પાકિસ્તાનમાં થઈ, આઘાત ભારતમાં કેટલાક લોકોને લાગ્યોઃ મોદી

ભોપાલઃ ગુજરાતના બે દિવસના પ્રવાસેથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા. જ્યાં  વિજય સંકલ્પ રેલીને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર બરાબરનું નિશાન તાક્યું હતું. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, જે મહાશય પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી રહ્યાં છે તેઓ ઓસામા બિન લાદેનને શાંતિદૂત માનતા હતાં. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ છે. તે અલગ-થલગ પડી ગયું તો મહામિલાવટી લોકો સામે આવી ગયાં. કોઈ પુરાવા માંગવામાં લાગી ગયું તો કોઈ આંકવાદીઓની સંખ્યા પુછવા લાગ્યું. આ લોકો પાકિસ્તાનને શાંતિદૂત બતાવવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અનેક નેતા એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અને હુમલાના પુરાવા માંગી રહ્યાં છે. દિગ્વિજય સિંહે પુરાવા માંગ્યા હતાં. જેને લઈને વડાપ્રધાને દિગ્વિજય સિંહનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, જે પાર્ટીએ સૌથી લાંબો સમય દેશમાં રાજ કર્યું હોય, જે પાર્ટીના નેતાઓએ આપણી પરાક્રમી સેનાના હાથ બાંધીને રાખ્યા હોય, તેના નેતાઓ આજે આપણા વીર જવાનોના સામર્થ્ય પર સવાલ ઊઠાવી રહ્યા છે. તેમાં પણ મધ્ય પ્રદેશના એક નેતા તો બધાથી આગળ છે. આ મહાશયે તો પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી એટલે કે એક અકસ્માત કે જે એમ જ થઈ ગયો. વડાપ્રધાને આકરા પ્રહાર કરવાનું યથાવત રાખતા કહ્યું હતું કે, દેશવાસી સમજી લે કે આ લોકો કંઈ એમ જ નથી બોલી રહ્યાં પણ તેમની માનસીકતા જ કંઈક આવી છે. આવુ જ વલણ તેમની રગોમાં પણ વહે છે. આતંકવાદીઓને બચાવવા માટે તેમના હુમલાને માત્ર અકસ્માત ગણાવે છે. તો શું પુલવામામાં થયું તે માત્ર એક અકસ્માત હતો? આ એ જ નામદાર પરિવારના સિપાહસાલાર છે, જેમને આતંકી ઓસામા બિન લાદેન શાંતિદૂત લાગતો હતો. આ એ જ મહાશય છે, જેમની મુંબઈ હુમલામાં પણ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી હતી અને તપાસને આડા માર્ગે દોરવાનું કામ કર્યું હતું. દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર ટોણો મારતા કહ્યું હતું કે, જ્યારે બટલા હાઉસ એન્કાઉન્ટર થયો હતું ત્યારે તો એક રાગદરબારીએ કહ્યું હતું કે, આતંકીની મોત પર રિમોટ કંટ્રોલથી સરકાર ચાલાવનારાના આંસુ અટકવાનું નામ જ નોતા લઈ રહ્યાં. શું આપણે આવી કોંગ્રેસ પાસે આશા રાખી શકીએ કે તે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, આ એ જ લોકો છે જે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ખડા કરી રહ્યાં છે. તેમની સરકાર હતી ત્યારે તો આ લોકો આતંકી હુમલા પર ચુપ બેસતા હતા અને આપણા વીર જવાનોની કાર્યવાહી પર આંસુ વહાવતા હતાં. આજે ફરી એકવાર તેમનો બેવડો ચહેરો સામે આવ્યો છે. એર સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ અની સદમામાં ભારતમાં બેઠેલા લોકો છે. ભારતમાં મહામિલાવટ કરનારા લોકો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલાવટ કરવામાં લાગ્યા છે. પોતાન રાજકીય સ્વાર્થ માટે પાકિસ્તાન સાથે મળીને આ લોકો આવું કરી રહ્યા છે. અહીં આ લોકો મોદીને ગાળો આપો છે અને પાકિસ્તાનમાં તેમના માટે તાળીઓનો ગળગળાટ થાય છે. આજકાલ આ મહામિલાવટી લોકો પાકિસ્તાનનાં પોસ્ટર બોય પણ બની ગયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Embed widget