શોધખોળ કરો

એર સ્ટ્રાઇક પાકિસ્તાનમાં થઈ, આઘાત ભારતમાં કેટલાક લોકોને લાગ્યોઃ મોદી

ભોપાલઃ ગુજરાતના બે દિવસના પ્રવાસેથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા. જ્યાં  વિજય સંકલ્પ રેલીને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર બરાબરનું નિશાન તાક્યું હતું. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, જે મહાશય પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી રહ્યાં છે તેઓ ઓસામા બિન લાદેનને શાંતિદૂત માનતા હતાં. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ છે. તે અલગ-થલગ પડી ગયું તો મહામિલાવટી લોકો સામે આવી ગયાં. કોઈ પુરાવા માંગવામાં લાગી ગયું તો કોઈ આંકવાદીઓની સંખ્યા પુછવા લાગ્યું. આ લોકો પાકિસ્તાનને શાંતિદૂત બતાવવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અનેક નેતા એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અને હુમલાના પુરાવા માંગી રહ્યાં છે. દિગ્વિજય સિંહે પુરાવા માંગ્યા હતાં. જેને લઈને વડાપ્રધાને દિગ્વિજય સિંહનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, જે પાર્ટીએ સૌથી લાંબો સમય દેશમાં રાજ કર્યું હોય, જે પાર્ટીના નેતાઓએ આપણી પરાક્રમી સેનાના હાથ બાંધીને રાખ્યા હોય, તેના નેતાઓ આજે આપણા વીર જવાનોના સામર્થ્ય પર સવાલ ઊઠાવી રહ્યા છે. તેમાં પણ મધ્ય પ્રદેશના એક નેતા તો બધાથી આગળ છે. આ મહાશયે તો પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી એટલે કે એક અકસ્માત કે જે એમ જ થઈ ગયો. વડાપ્રધાને આકરા પ્રહાર કરવાનું યથાવત રાખતા કહ્યું હતું કે, દેશવાસી સમજી લે કે આ લોકો કંઈ એમ જ નથી બોલી રહ્યાં પણ તેમની માનસીકતા જ કંઈક આવી છે. આવુ જ વલણ તેમની રગોમાં પણ વહે છે. આતંકવાદીઓને બચાવવા માટે તેમના હુમલાને માત્ર અકસ્માત ગણાવે છે. તો શું પુલવામામાં થયું તે માત્ર એક અકસ્માત હતો? આ એ જ નામદાર પરિવારના સિપાહસાલાર છે, જેમને આતંકી ઓસામા બિન લાદેન શાંતિદૂત લાગતો હતો. આ એ જ મહાશય છે, જેમની મુંબઈ હુમલામાં પણ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી હતી અને તપાસને આડા માર્ગે દોરવાનું કામ કર્યું હતું. દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર ટોણો મારતા કહ્યું હતું કે, જ્યારે બટલા હાઉસ એન્કાઉન્ટર થયો હતું ત્યારે તો એક રાગદરબારીએ કહ્યું હતું કે, આતંકીની મોત પર રિમોટ કંટ્રોલથી સરકાર ચાલાવનારાના આંસુ અટકવાનું નામ જ નોતા લઈ રહ્યાં. શું આપણે આવી કોંગ્રેસ પાસે આશા રાખી શકીએ કે તે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, આ એ જ લોકો છે જે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ખડા કરી રહ્યાં છે. તેમની સરકાર હતી ત્યારે તો આ લોકો આતંકી હુમલા પર ચુપ બેસતા હતા અને આપણા વીર જવાનોની કાર્યવાહી પર આંસુ વહાવતા હતાં. આજે ફરી એકવાર તેમનો બેવડો ચહેરો સામે આવ્યો છે. એર સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ અની સદમામાં ભારતમાં બેઠેલા લોકો છે. ભારતમાં મહામિલાવટ કરનારા લોકો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલાવટ કરવામાં લાગ્યા છે. પોતાન રાજકીય સ્વાર્થ માટે પાકિસ્તાન સાથે મળીને આ લોકો આવું કરી રહ્યા છે. અહીં આ લોકો મોદીને ગાળો આપો છે અને પાકિસ્તાનમાં તેમના માટે તાળીઓનો ગળગળાટ થાય છે. આજકાલ આ મહામિલાવટી લોકો પાકિસ્તાનનાં પોસ્ટર બોય પણ બની ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget