શોધખોળ કરો

એર સ્ટ્રાઇક પાકિસ્તાનમાં થઈ, આઘાત ભારતમાં કેટલાક લોકોને લાગ્યોઃ મોદી

ભોપાલઃ ગુજરાતના બે દિવસના પ્રવાસેથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા. જ્યાં  વિજય સંકલ્પ રેલીને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર બરાબરનું નિશાન તાક્યું હતું. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, જે મહાશય પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી રહ્યાં છે તેઓ ઓસામા બિન લાદેનને શાંતિદૂત માનતા હતાં. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ છે. તે અલગ-થલગ પડી ગયું તો મહામિલાવટી લોકો સામે આવી ગયાં. કોઈ પુરાવા માંગવામાં લાગી ગયું તો કોઈ આંકવાદીઓની સંખ્યા પુછવા લાગ્યું. આ લોકો પાકિસ્તાનને શાંતિદૂત બતાવવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અનેક નેતા એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અને હુમલાના પુરાવા માંગી રહ્યાં છે. દિગ્વિજય સિંહે પુરાવા માંગ્યા હતાં. જેને લઈને વડાપ્રધાને દિગ્વિજય સિંહનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, જે પાર્ટીએ સૌથી લાંબો સમય દેશમાં રાજ કર્યું હોય, જે પાર્ટીના નેતાઓએ આપણી પરાક્રમી સેનાના હાથ બાંધીને રાખ્યા હોય, તેના નેતાઓ આજે આપણા વીર જવાનોના સામર્થ્ય પર સવાલ ઊઠાવી રહ્યા છે. તેમાં પણ મધ્ય પ્રદેશના એક નેતા તો બધાથી આગળ છે. આ મહાશયે તો પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી એટલે કે એક અકસ્માત કે જે એમ જ થઈ ગયો. વડાપ્રધાને આકરા પ્રહાર કરવાનું યથાવત રાખતા કહ્યું હતું કે, દેશવાસી સમજી લે કે આ લોકો કંઈ એમ જ નથી બોલી રહ્યાં પણ તેમની માનસીકતા જ કંઈક આવી છે. આવુ જ વલણ તેમની રગોમાં પણ વહે છે. આતંકવાદીઓને બચાવવા માટે તેમના હુમલાને માત્ર અકસ્માત ગણાવે છે. તો શું પુલવામામાં થયું તે માત્ર એક અકસ્માત હતો? આ એ જ નામદાર પરિવારના સિપાહસાલાર છે, જેમને આતંકી ઓસામા બિન લાદેન શાંતિદૂત લાગતો હતો. આ એ જ મહાશય છે, જેમની મુંબઈ હુમલામાં પણ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી હતી અને તપાસને આડા માર્ગે દોરવાનું કામ કર્યું હતું. દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર ટોણો મારતા કહ્યું હતું કે, જ્યારે બટલા હાઉસ એન્કાઉન્ટર થયો હતું ત્યારે તો એક રાગદરબારીએ કહ્યું હતું કે, આતંકીની મોત પર રિમોટ કંટ્રોલથી સરકાર ચાલાવનારાના આંસુ અટકવાનું નામ જ નોતા લઈ રહ્યાં. શું આપણે આવી કોંગ્રેસ પાસે આશા રાખી શકીએ કે તે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, આ એ જ લોકો છે જે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ખડા કરી રહ્યાં છે. તેમની સરકાર હતી ત્યારે તો આ લોકો આતંકી હુમલા પર ચુપ બેસતા હતા અને આપણા વીર જવાનોની કાર્યવાહી પર આંસુ વહાવતા હતાં. આજે ફરી એકવાર તેમનો બેવડો ચહેરો સામે આવ્યો છે. એર સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ અની સદમામાં ભારતમાં બેઠેલા લોકો છે. ભારતમાં મહામિલાવટ કરનારા લોકો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલાવટ કરવામાં લાગ્યા છે. પોતાન રાજકીય સ્વાર્થ માટે પાકિસ્તાન સાથે મળીને આ લોકો આવું કરી રહ્યા છે. અહીં આ લોકો મોદીને ગાળો આપો છે અને પાકિસ્તાનમાં તેમના માટે તાળીઓનો ગળગળાટ થાય છે. આજકાલ આ મહામિલાવટી લોકો પાકિસ્તાનનાં પોસ્ટર બોય પણ બની ગયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget