શોધખોળ કરો

UCC : UCCને લઈ ગુલામ નબીની મોદી સરકારને ગર્ભિત ધમકી

ગુલામ નબી આઝાદે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, કલમ 370ને હટાવવા જેટલું સરળ નથી. માત્ર મુસ્લિમો જ નહીં, પણ ત્યાં શીખ, ખ્રિસ્તી, આદિવાસી, પારસી, જૈન અને વધુ છે.

Ghulam Nabi Azad On UCC: યુનિફોર્મ સિવિલ કોડને લઈને દેશમાં ઠેક ઠેકાણે ભારે ચર્ચા થઈ રહી છે. દેશમાં સાચે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે? કઈ રીતે અમલી બનશે? 2024ની લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરાશે કે કેમ? તેવા અનેક સવાલ થઈ રહ્યાં છે. 

કાયદા પંચે આ મુદ્દે દેશના લોકો અને ધાર્મિક સંગઠનો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે પણ સમાન નાગરિક સંહિતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સલાહ આપી છે કે, કેન્દ્ર સરકારે UCC વિશે વિચારવું જોઈએ નહીં. કારણ કે તેનાથી તમામ ધર્મના લોકો નારાજ થશે.

ગુલામ નબી આઝાદે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, કલમ 370ને હટાવવા જેટલું સરળ નથી. માત્ર મુસ્લિમો જ નહીં, પણ ત્યાં શીખ, ખ્રિસ્તી, આદિવાસી, પારસી, જૈન અને વધુ છે. એક સાથે આટલા બધા ધર્મોને નારાજ કરવું કોઈ પણ સરકાર માટે યોગ્ય નહીં હોય. મારી આ સરકારને સલાહ છે કે, તેમણે આવું પગલું ભરવાનું ક્યારેય ન વિચારવું જોઈએ.
 
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ વિરોધ કર્યો 

યુસીસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા તેજ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ પગલાનો વિરોધ કર્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાર બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસે ખાતરી આપી છે કે, જ્યારે UCC સંસદમાં ચર્ચા માટે આવશે ત્યારે પાર્ટી તેમની ચિંતાઓને ધ્યાનમાં લેશે.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પર આઝાદે શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અંગે આઝાદે કહ્યું હતું કે, 2018માં વિધાનસભા ભંગ કરવામાં આવી ત્યારથી અમે રાહ જોઈ રહ્યા છીએ કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે. જમ્મુ-કાશ્મીરના લોકો રાજ્યમાં લોકતાંત્રિક વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે. મતલબ કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય બને છે અને તે જ સરકાર ચલાવે છે. કારણ કે, લોકશાહીમાં માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આ કામ કરી શકે છે. સમગ્ર વિશ્વમાં અથવા ભારતના કોઈપણ ભાગમાં 'અધિકારી સરકાર' છ મહિનાથી વધુ ટકી શકતી નથી.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget