શોધખોળ કરો

UCC : UCCને લઈ ગુલામ નબીની મોદી સરકારને ગર્ભિત ધમકી

ગુલામ નબી આઝાદે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, કલમ 370ને હટાવવા જેટલું સરળ નથી. માત્ર મુસ્લિમો જ નહીં, પણ ત્યાં શીખ, ખ્રિસ્તી, આદિવાસી, પારસી, જૈન અને વધુ છે.

Ghulam Nabi Azad On UCC: યુનિફોર્મ સિવિલ કોડને લઈને દેશમાં ઠેક ઠેકાણે ભારે ચર્ચા થઈ રહી છે. દેશમાં સાચે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે? કઈ રીતે અમલી બનશે? 2024ની લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરાશે કે કેમ? તેવા અનેક સવાલ થઈ રહ્યાં છે. 

કાયદા પંચે આ મુદ્દે દેશના લોકો અને ધાર્મિક સંગઠનો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે પણ સમાન નાગરિક સંહિતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સલાહ આપી છે કે, કેન્દ્ર સરકારે UCC વિશે વિચારવું જોઈએ નહીં. કારણ કે તેનાથી તમામ ધર્મના લોકો નારાજ થશે.

ગુલામ નબી આઝાદે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, કલમ 370ને હટાવવા જેટલું સરળ નથી. માત્ર મુસ્લિમો જ નહીં, પણ ત્યાં શીખ, ખ્રિસ્તી, આદિવાસી, પારસી, જૈન અને વધુ છે. એક સાથે આટલા બધા ધર્મોને નારાજ કરવું કોઈ પણ સરકાર માટે યોગ્ય નહીં હોય. મારી આ સરકારને સલાહ છે કે, તેમણે આવું પગલું ભરવાનું ક્યારેય ન વિચારવું જોઈએ.
 
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ વિરોધ કર્યો 

યુસીસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા તેજ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ પગલાનો વિરોધ કર્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાર બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસે ખાતરી આપી છે કે, જ્યારે UCC સંસદમાં ચર્ચા માટે આવશે ત્યારે પાર્ટી તેમની ચિંતાઓને ધ્યાનમાં લેશે.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પર આઝાદે શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અંગે આઝાદે કહ્યું હતું કે, 2018માં વિધાનસભા ભંગ કરવામાં આવી ત્યારથી અમે રાહ જોઈ રહ્યા છીએ કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે. જમ્મુ-કાશ્મીરના લોકો રાજ્યમાં લોકતાંત્રિક વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે. મતલબ કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય બને છે અને તે જ સરકાર ચલાવે છે. કારણ કે, લોકશાહીમાં માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આ કામ કરી શકે છે. સમગ્ર વિશ્વમાં અથવા ભારતના કોઈપણ ભાગમાં 'અધિકારી સરકાર' છ મહિનાથી વધુ ટકી શકતી નથી.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Embed widget