શોધખોળ કરો

Udaipur Tailor Murder: ‘મુસલમાન ક્યારેય ભારતમાં તાલિબાની માનસિકતાનો સ્વીકાર નહીં કરે’ – અજમેદ દરગાહ દીવાન

Rajasthan News: અજમેર દરગાહના દીવાન જૈનુલ આબેદીન અલી ખાને ઘટનાની નિંદા કરતા કહ્યું, ભારતના મુસલમાન દેશમાં કયારેય તાલિબાની માનસિકતાનો સ્વીકાર નહીં કરે.

Udaipur Killing: રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજીની ધોળા દિવસે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી, એટલુ જ નહીં તાલિબાની સ્ટાઇલે હત્યા કરનારાઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જાહેર કરીને ધાકધમકી પણ આપી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજસ્થાન અને દેશના અન્ય શહેરોમાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અજમેર દરગાહના દીવાન જૈનુલ આબેદીન અલી ખાને ઘટનાની નિંદા કરતા કહ્યું, ભારતના મુસલમાન દેશમાં કયારેય તાલિબાની માનસિકતાનો સ્વીકાર નહીં કરે.

અજમેર દરગાહના દીવાન ખાને એક નિવેદનમાં કહ્યું કે કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી, ખાસ કરીને ઈસ્લામમાં તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કામ કરે છે. ખાને કહ્યું કે આરોપીઓ કેટલાક કટ્ટરવાદી જૂથોનો ભાગ છે જે હિંસા દ્વારા ઉકેલ શોધે છે.

હત્યારાઓને સજા આપો : જમિયત ઉલેમા એ હિન્દ

ભારતના ટોચના મુસ્લિમ સંગઠનોમાં સામેલ જમિયત ઉલેમા-એ-હિન્દે ઉદયપુર હત્યાકાંડની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ હત્યાકાંડ ઇસ્લામની વિરુદ્ધમાં છે. જે પણ હત્યા પાછળ જવાબદાર હોય તેમને આકરી સજા આપવામાં આવે. જમિયતના જનરલ સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન કાસ્મીએ એક નિવેદન આપી જણાવ્યું હતું કે આ હત્યાકાંડ ઇસ્લામ અને કાયદાની વિરુદ્ધમાં છે. કોઇને પણ કાયદો હાથમાં લેવાની સત્તા નથી. સાથે જ દેશભરમાં શાંતિની તેઓએ અપીલ પણ કરી હતી. ઇસ્લામના અપમાન બદલ આ હત્યા કરી હોવાનો દાવો કરતો એક વીડિયો જારી થયો હતો, જે બાદ જમિયત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને હત્યારાઓનું સમર્થન ન કરવા લોકોને અપીલ કરી હતી.

શું છે મામલો

દયપુરના રહેવાસી કન્હૈયાલાલ તેલી સિલાઇકામ કરે છે, તેઓ મંગળવારે રાબેતા મુજબ પોતાની દુકાને ગયા હતા અને પોતાનું કામ કરી રહ્યા હતા. એવામાં બે શખ્સો સિલાઇકામ કરાવવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા હતા, કન્હૈયાલાલ કઇ સમજે તે પહેલા જ આ બન્ને શખ્સોએ તેને પકડીને એક ચાકુથી તેમનું ગળુ કાપીને હત્યા કરી દેવાઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી હત્યારાઓએ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી. પોલીસ વિભાગના એડિશનલ ડાયરેક્ટર હવાસિંઘ ઘુમારીયાએ કહ્યું હતું કે એક પણ હત્યારાને બક્ષવામાં નહીં આવે. સાથે તેઓએ લોકોને અપીલ કરી હતી કે હત્યાનો આ વીડિયો લોકો ન જોવે કે કોઇને શેર ન કરે.

બીજી બાજુ ઉદયપુરમાં દરજીની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારાઓએ સોશિયલ મીડિયા પર જે વીડિયો પોસ્ટ કર્યો તેમાં તેઓએ દાવો કર્યો હતો કે ઇસ્લામના અપમાનનો બદલો લેવા આ હત્યા કરી છે. એવા અહેવાલ છે કે આ હત્યાકાંડ પાછળ આતંકવાદીઓ જવાબદાર હોઇ શકે છે. જેને પગલે ગૃહ મંત્રાલય દ્વારા એનઆઇએની એક ટીમને ઉદયપુર રવાના કરવામાં આવી છે. જે આ હત્યાકાંડના આતંકી એંગલથી તપાસ કરશે. સાથે જ આ કેસને એનઆઇએને સોપવામાં આવી શકે છે. એક અધિકારીએ જણાવ્યંુ હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ આ હત્યાકાંડ આતંકી કૃત્ય લાગી રહ્યું છે. જ્યારે વીડિયો પોસ્ટ કરનારા અને હત્યાની જવાબદારી લેનારાઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઇ છે. 

રિયાઝે ગળુ કાપ્યું,  સાથીએ વીડિયો બનાવ્યો

પોલીસે જણાવ્યું હતું કે બે હુમલાખોરો પૈકી એક મોહમ્મદ રિયાઝ અખ્તરે કન્હૈયા લાલનું ગળુ કાપી હત્યા કરી હતી  જ્યારે તેની સાથે આવેલા અન્ય શખ્સે સમગ્ર હત્યાનો વીડિયો બનાવ્યો હતો. બાદમાં આ વીડિયોને અન્ય એક ધમકી આપતા વીડિયોની સાથે સોશિયલ મીડિયા પર જારી કર્યો હતો, જે બાદ સમગ્ર મામલો આગની જેમ ફેલાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
સોશિયલ મીડિયા પર ન કરો આ ભૂલ, સરકારની નવી ચેતવણી, નફાના ચક્કરમાં થશે મોટું નુકસાન
સોશિયલ મીડિયા પર ન કરો આ ભૂલ, સરકારની નવી ચેતવણી, નફાના ચક્કરમાં થશે મોટું નુકસાન
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
EPFO યૂઝર્સ એલર્ટ! 3 દિવસ સુધી બંધ રહેશે ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?
EPFO યૂઝર્સ એલર્ટ! 3 દિવસ સુધી બંધ રહેશે ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?
Embed widget