![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઉમર ખાલિદને મળ્યા 7 દિવસના વચગાળાના જામીન, કડકડડૂમા કૉર્ટે આપી રાહત
Umar Khalid Interim Bail News: ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU), દિલ્હીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉમર ખાલિદ પર ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે
![ઉમર ખાલિદને મળ્યા 7 દિવસના વચગાળાના જામીન, કડકડડૂમા કૉર્ટે આપી રાહત umar khalid gets seven days interim bail by karkardooma court in the delhi riots case ઉમર ખાલિદને મળ્યા 7 દિવસના વચગાળાના જામીન, કડકડડૂમા કૉર્ટે આપી રાહત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/494f93c2ee5b1802860ea040c1c7f154173452182703377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Umar Khalid Interim Bail News: રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કૉર્ટે મોટી રાહત આપી છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમર ખાલિદે તેના પિતરાઈ ભાઈ અને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 10 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે, કડકડડૂમા કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 7 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.
કોણ છે ઉમર ખાલિદ ?
ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU), દિલ્હીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉમર ખાલિદ પર ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે 2020માં દિલ્હીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના વિરોધ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020માં ખાલિદની ધરપકડ કરી હતી.
શું છે ઉમર ખાલિદ પર આરોપ ?
જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર દિલ્હી પોલીસે દિલ્હી રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ઉમર ખાલિદની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઉમર ખાલિદ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ભીડ એકઠી કરવી, રાજદ્રોહ, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણી કલમો હેઠળ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે.
નાગરિકતા કાયદામાં સુધારાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા બાદ 24 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. આ પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચે રમખાણો પાછળ કથિત ષડયંત્રના કેસમાં ઓમરની પૂછપરછ પણ કરી હતી. પોલીસે તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. 11 કલાકની પૂછપરછ બાદ ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ ઉમર ખાલિદની ઘણી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)