શોધખોળ કરો

Vande Bharat Express: મધ્યપ્રદેશને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, વડાપ્રધાન મોદીએ બતાવી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી

PM Modi in Bhopal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.  હાઈટેક કમલાપતિ રેલવે સ્ટેશન પર પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે, જે રાજ્યના લોકોને ઘણી સુવિધાઓ આપશે અને પ્રદેશના વિકાસનું માધ્યમ બનશે.

રેલવે તરફથી નાના કારીગરોને મોટી રાહત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય રેલવે નાના કારીગરોના કામને દેશના ખૂણેખૂણે લઈ જવાનું માધ્યમ બની રહ્યું છે. હવે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ઘણી જગ્યાએ 600 આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી લગભગ 1 લાખ લોકોએ ખરીદી કરી છે.

રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ

આજે દેશમાં ઘણા રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આજે દેશના 6000 સ્ટેશનો પર Wi-Fi લગાવવામાં આવ્યા છે. 900 થી વધુ સ્ટેશનો પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ આખા દેશમાં આપણી યુવા પેઢીમાં સુપરહિટ બની છે. આ ટ્રેનોમાં આખા વર્ષ દરમિયાન સીટો ભરાતી રહે છે. આ ટ્રેન ચલાવવા માટે દેશના દરેક ખૂણેથી માંગ ઉઠી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે પહેલા સાંસદો કહેતા હતા કે આ સ્ટેશન પર ટ્રેનને રોકવાની વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ આજે જ્યારે સાંસદો માંગ કરે છે કે વંદે ભારત વહેલી તકે શરૂ કરવામાં આવે ત્યારે મને ગર્વ થાય છે. રેલવે મુસાફરોની સુવિધા વધારવાનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે.

રેલવે માટે વિક્રમી બજેટ ફાળવવામાં આવ્યું

પીએમએ કહ્યું કે દેશના બજેટમાં રેલવે માટે રેકોર્ડ રકમ ફાળવવામાં આવી છે. પહેલા સંસદમાં રેલ્વેના વિકાસની વાત થતાં જ ખાધની વાતો થતી હતી, પરંતુ જો વિકાસ માટે ઈચ્છાશક્તિ હોય અને ઈરાદો સાફ હોય તો નવા રસ્તા નીકળે છે. પીએમ મોદીએ કહ્યું કે રેલવેના બજેટમાં દર વર્ષે હંમેશા વધારો કરવામાં આવ્યો છે. હવે MPનું રેલવે બજેટ 13 હજાર કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે 2014 પહેલા માત્ર 600 કરોડ રૂપિયાનું રેલવે બજેટ હતું.

PM એ કહ્યું કે વિદ્યુતીકરણનું કાર્ય એ પણ એક ઉદાહરણ છે કે આજે રેલવેમાં કેટલું આધુનિકીકરણ થઈ રહ્યું છે. દેશના કોઇના કોઇ ભાગમાં રેલ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ કરવામાં આવ્યું છે, આ 11 રાજ્યોમાં મધ્યપ્રદેશ પણ સામેલ છે. વર્ષ 2014 પહેલા 600 કિલોમીટરનું વીજળીકરણ થતું હતું, હવે 6000 કિલોમીટરનું વીજળીકરણ થઈ રહ્યું છે. હવે મધ્યપ્રદેશ જૂની વાતોને પાછળ છોડીને વિકાસની નવી ગાથા લખી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Embed widget