શોધખોળ કરો

Watch: રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ, રેલવે ટ્રેક પર મુક્યા હતા પથ્થર

Vande Bharat: રેલવેના સતર્ક સ્ટાફે આ મોટો અકસ્માત અટકાવ્યો હતો. તેણે તરત જ ટ્રેક સાફ કર્યો. જે બાદ ટ્રેન આગળ વધી હતી.

Vande Bharat Train: રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર ઘણા બધા પથ્થરો રાખવામાં આવ્યા હતા. ભીલવાડા પાસે ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. સતર્ક સ્ટાફે આ મોટો અકસ્માત અટકાવ્યો હતો. તેણે તરત જ ટ્રેક સાફ કર્યો. જે બાદ ટ્રેન આગળ વધી હતી.

વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લુક સામે આવ્યો

દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. માહિતી અનુસાર, વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનમાં 857 બર્થ હશે. તેમાંથી 823 બર્થ મુસાફરો માટે અને 34 સ્ટાફ માટે આરક્ષિત હશે. દરેક કોચમાં મિની પેન્ટ્રી પણ હશે. વંદે ભારત એક્સપ્રેસનો સ્લીપર કોચ સારો દેખાય છે.

વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનની પ્રથમ ટ્રેન આવતા વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં પાટા પર ઉતરી જાય તેવી શક્યતા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસનું સ્લીપર વર્ઝન આવતા વર્ષે માર્ચ 2024માં લોન્ચ કરવામાં આવશે. હાલમાં ચેર કાર વંદે ભારત એક્સપ્રેસ દેશના 30 થી વધુ રૂટ પર ચાલી રહી છે.

ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરના જનરલ મેનેજર BG માલ્યાએ 16 સપ્ટેમ્બરે કહ્યું હતું કે વંદેનું સ્લીપર વર્ઝન આ નાણાકીય વર્ષ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. તેમજ વંદે મેટ્રો પણ આ નાણાકીય વર્ષમાં લોન્ચ થઈ શકે છે. માલ્યાએ કહ્યું કે સ્લીપર વંદે ભારત ટ્રેન હાલમાં બની રહી છે અને તે માર્ચ 2024માં લોન્ચ કરવામાં આવશે. 12 કોચની આ ટ્રેનને જાન્યુઆરીથી ટૂંકા રૂટ પર દોડાવી શકાશે.

માલ્યાએ કહ્યું કે વંદે ભારતનું નોન-એસી ટ્રેન વર્ઝન પણ લોન્ચ કરવાની યોજના છે. તેને આ વર્ષે 31 ઓક્ટોબર પહેલા લોન્ચ કરવામાં આવશે. આ એક નોન-એસી પુશ-પુલ ટ્રેન હશે, જેમાં 22 કોચ અને બંને બાજુ એક લોકોમોટિવ હશે. સ્લીપર વંદે ભારતનું નિર્માણ એક કન્સોર્ટિયમ એટલે કે બે કંપનીઓ એકસાથે કરી રહ્યું છે. આમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ અને રશિયાનું TMH ગ્રુપ સામેલ છે. આ કન્સોર્ટિયમે 200માંથી 120 સ્લીપર વંદે ભારત ચલાવવા માટે સૌથી ઓછી બોલી લગાવી હતી. બાકીની 80 ટ્રેનો ટીટાગઢ વેગન અને ભેલના કન્સોર્ટિયમ દ્વારા સપ્લાય કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget