શોધખોળ કરો

Wayanad Landslides: વાયનાડ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 292 લોકોના મૃત્યુ, આકાશી આફતથી 348 ઘર નષ્ટ થયા, જાણો લેટેસ્ટ અપડેટ

Wayanad Landslides: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં પીડિત લોકોની મુલાકાત લીધી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને બચાવ કામગીરી માટે સેનાની પ્રશંસા કરી.

Wayanad Landslides Updates: કેરળના વાયનાડમાં સોમવાર (29 જુલાઈ 2024)ની મોડી રાત્રે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલને અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ત્રાસદીમાં અત્યાર સુધીમાં 292 લોકોના મૃત્યુ થયા છે અને એક હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 29 બાળકો ગુમ છે. આ ત્રાસદીની ગુંજ સંસદમાં પણ સંભળાઈ અને પછી આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યા

આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે વાયનાડ જિલ્લાના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં બનાવવામાં આવેલા વિવિધ રાહત શિબિરોની મુલાકાત પણ લીધી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડના મેપડ્ડીમાં આ દુર્ઘટનાથી પીડિત લોકોની મુલાકાત લીધી. બંને નેતાઓ સવારે 9.30 વાગ્યે કન્નૂર એરપોર્ટ પર ઉતર્યા અને પછી ત્યાંથી રોડ માર્ગે વાયનાડ પહોંચ્યા હતા.

ઝડપથી ચાલી રહ્યું છે બચાવ અભિયાન

આ ભૂસ્ખલન બાદ ભારતીય સેના, વાયુસેના, નૌસેના, NDRF અને સ્થાનિક પોલીસ પ્રશાસન ઝડપથી બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. બચાવકર્મીઓ નષ્ટ થયેલા ઘરો અને ઇમારતોમાં લોકોની શોધ કરી રહ્યા છે, પરંતુ ચારે બાજુ કાટમાળ હોવાને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભૂસ્ખલનમાં 348 ઇમારતો પ્રભાવિત

ભૂમિ મહેસૂલ આયુક્તે જણાવ્યું કે વાયનાડમાં ભૂસ્ખલનથી ઘરો સહિત 348 ઇમારતો પ્રભાવિત થઈ છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની અધ્યક્ષતામાં ગુરુવાર (1 ઓગસ્ટ 2024)ના રોજ વાયનાડમાં યોજાયેલી એક સત્તાવાર બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું કે ભૂસ્ખલન બાદ ત્રણ દિવસના બચાવ અભિયાનમાં બધા બચેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં હવે લોકો ફસાયેલા નથી

કેરળ કર્ણાટક સબ એરિયા જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ વી.ટી. મેથ્યુએ મુખ્યમંત્રી સાથેની બેઠક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે મુંડકાઈ અને અટ્ટામાલા વિસ્તારમાં કોઈ વ્યક્તિ જીવિત ફસાયેલી હોવાની શક્યતા નથી. સેનાના 500 જવાનો મુંડકાઈ અને ચુરાલમાલા વિસ્તારની તપાસ માટે ઉપલબ્ધ છે.

આ ત્રાસદીમાં હજુ પણ કોઈ ફસાયેલું છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય કાર્ય મુંડકાઈ સુધી મશીનરી લાવવા માટે એક પુલનું નિર્માણ કરવાનું હતું. મેજર જનરલ વી.ટી. મેથ્યુએ કહ્યું કે બેલી બ્રિજ આજે (ગુરુવાર) બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે કારણ કે કામ બુધવારે રાત્રે પણ ચાલુ રહ્યું હતું. જોકે વરસાદને કારણે બુધવારે આ પુલનું કામ રોકવામાં આવ્યું હતું.

29 ગુમ વિદ્યાર્થીઓમાંથી ચારના મૃતદેહ મળ્યા

કેરળ પોલીસના ADGP અજિત કુમારે જણાવ્યું હતું કે મલપ્પુરમમાં 1000 લોકો શોધ વિસ્તારમાં છે અને 1000 પોલીસકર્મીઓ સક્રિય છે. તેમણે કહ્યું કે જે સમસ્યા સૌથી વધુ આવી રહી છે તે મૃતદેહોની ઓળખની છે. DDE શશિન્દ્રવ્યાસ વી.એ.એ જણાવ્યું કે ભૂસ્ખલન બાદ મુંડાકાઈ અને વેલ્લારમાલા વિસ્તારની બે શાળાઓ અને મેપ્પડી વિસ્તારની બે શાળાઓના કુલ 29 વિદ્યાર્થીઓ ગુમ છે. ગુમ થયેલા 29 બાળકોમાંથી ચારના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. બધા બાળકોની વિગતો લેવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Embed widget