શોધખોળ કરો

Jamnagar: જામનગરમાં 'વાઈલ્ડલાઈફ એન્ડ વેટરનરી યુનિવર્સિટી' સ્થાપિત કરશે અનંત અંબાણીનું 'વનતારા'

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન સંરક્ષણ પહેલ  વનતારાએ જામનગરમાં 'વનતારા યુનિવર્સિટી' નામની વૈશ્વિક સંસ્થા શરૂ કરવાની જાહેરાત કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન સંરક્ષણ પહેલ  વનતારાએ જામનગરમાં 'વનતારા યુનિવર્સિટી' નામની વૈશ્વિક સંસ્થા શરૂ કરવાની જાહેરાત કરી છે.   વન્યજીવન સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક યુનિવર્સિટી તરીકે પ્રચારિત આ સંસ્થાનો હેતુ વિશેષ શિક્ષણમાં એક નવો ધોરણ સ્થાપિત કરવાનો છે.

આ યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક નવીનતા અને લાંબા ગાળાના સંરક્ષણના સિદ્ધાંતો પર સ્થાપિત છે. ભારતની જ્ઞાન પરંપરાઓમાંથી પ્રેરણા લઈને  તે પશુચિકિત્સા દવા, વન્યજીવન સંભાળ અને સંરક્ષણના ક્ષેત્રોમાં ભાવિ વ્યાવસાયિકો તૈયાર કરવાનો પ્રયાસ કરે છે.  આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી તરીકે ઉભરી રહી છે, જે ખાસ કરીને વન્યજીવ સંરક્ષણ અને વેટરિનરી વિજ્ઞાન પર કેન્દ્રિત રહેશે.

પ્રાચીન નાલંદા યુનિવર્સિટીમાંથી પ્રેરણા -અંબાણી

આ પહેલ પર બોલતા અંબાણીએ કહ્યું કે યુનિવર્સિટી સંકટમાં ફસાયેલા પ્રાણીઓને દેખરેખ કરવા અને વ્યક્તિગત અનુભવો અને સંભાળ પ્રણાલીમાં ખામીઓને ઓળખવાથી પ્રેરિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થા પ્રાચીન નાલંદા યુનિવર્સિટીની ભાવના અને "आ नो भद्राः क्रतवो यंतु विश्वतः" એટલે કે  'તમામ દિશાઓમાંથી અમારી પાસે કલ્યાણકારી વિચારો આવે'થી પ્રેરણા લે છે, જેથી જીવનનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ પેઢીનું નિર્માણ કરી શકાય. 

સ્થાપના સ્થળની પ્રતિકાત્મક ડિઝાઇન આ વિઝનને પ્રતિબિંબિત કરે છે. નાલંદા સાથે સંકળાયેલ પ્રાચીન વિંધ્ય ભૂગર્ભીય સંરચનાથી  પ્રાપ્ત 'બિજોલિયા સૈંડસ્ટોન' ના બે બ્લોક્સને આ પરિવેશમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, જે ભારતની શીખવાની કાયમી પરંપરાને રેખાંકિત કરે છે.

હિંદૂ રીતિ-રિવાજો અનુસાર આયોજિત સ્થાપન સમારોહમાં શિક્ષણ જગત, સંરક્ષણ, વિજ્ઞાન અને સાર્વજનિક જીવનના  પ્રમુખ વ્યક્તિઓ સામેલ થયા હતા,  જેમાં અંબાણીના શિક્ષક અને ગુરુ પણ હતા.   એક મુખ્ય અનુષ્ઠાનમાં ભારતના જૈવવિવિધતાથી સમૃદ્ધ પ્રદેશો, જંગલો અને ભીના પ્રદેશોથી લઈને શુષ્ક પ્રદેશો અને હિમાલયી પરિદ્રશ્યોથી એકત્રિત કરવામાં આવેલી માટી, પાણી અને પથ્થરો રાખવામાં આવ્યા હતા, જે  દેશની વિવિધતા અને પ્રાકૃતિક વારસામાં યુનિવર્સિટીના મૂળનું પ્રતિનિધિત્વ કરે છે.

દ્રષ્ટિકોણ અને વૈશ્વિક શૈક્ષણિક મહત્વાકાંક્ષાઓ

વનતારા યુનિવર્સિટીને એક બહુવિષય કેંદ્રના રુપમાં ડિઝાઇન કરવામાં આવી છે જે વાસ્તવિક દુનિયાના સંરક્ષણ  અભ્યાસોને શૈક્ષણિક શિક્ષણ સાથે જોડે છે. વનતારાના પરિચાલનનો અનુભવનો ઉપયોગ કરીને  સંસ્થાનું લક્ષ્ય ક્ષેત્રીય અનુભવને માળખાગત શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિક સ્તરે સંબંધિત માળખામાં અનુવાદિત કરવાનો હેતુ ધરાવે છે.

યુનિવર્સિટી વન્યજીવન ચિકિત્સા અને શસ્ત્રક્રિયા, પોષણ, વ્યવહાર વિજ્ઞાન, આનુવંશિકતા, મહામારી વિજ્ઞાન, વન આરોગ્ય, સંરક્ષણ નીતિ અને પ્રાણી નિવાસસ્થાન ડિઝાઇન જેવા વિષયોમાં સ્નાતક, અનુસ્નાતક, ફેલોશિપ અને વિશિષ્ટ અભ્યાસક્રમો ઓફર કરવાની યોજના ધરાવે છે. આ કાર્યક્રમો વનતારાની હાલની ક્ષમતાઓના આધારે વિશિષ્ટ કોલેજોમાં હાથ ધરવામાં આવશે.

સામાજિક અને આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓને મદદ  આપવા માટે શિષ્યવૃત્તિ શરુ કરવામાં આવશે, જે સંસ્થાની સુવિધાઓની વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરશે.

પરિસરમાં અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ અને રહેણાંક સુવિધાઓ હશે. તે વન્યજીવન આરોગ્ય, સંરક્ષણ પ્રથાઓ અને પ્રાણી કલ્યાણને મજબૂત બનાવવા પર કેન્દ્રિત ક્રિયા-લક્ષી સંશોધનને પ્રાથમિકતા આપશે. શૈક્ષણિક મોડેલ પ્રાકૃતિક ઇકોસિસ્ટમને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબા ગાળાની વ્યવસ્થાપન વ્યૂહરચના સાથે જોડતા ઇન-સિટૂ અને એક્સ-સિટૂ  બંને પ્રકારના સંરક્ષણને એકીકૃત કરશે. 

સંરક્ષણ શિક્ષા અને ઈનોવેશન માટે પ્રયાસો

યુનિવર્સિટીની શરુઆત ભારતમાં સંરક્ષણ-કેન્દ્રિત શિક્ષણને વિસ્તૃત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. સમારોહ દરમિયાન, વનતારાએ 'વનતારા યુનિવર્સિટી' ફાઉન્ડિંગ ફેલોઝ કાર્યક્રમ અને 'એવરી લાઇફ મેટર્સ'  શિષ્યવૃત્તિ જેવી પહેલોની જાહેરાત કરી, સાથે જ્ઞાનને સુરક્ષા સાથે જોડવાનું આહ્વાન કર્યું.

એક શૈક્ષણિક સંસ્થાન કરતાં વધુ વનતારા યુનિવર્સિટી એક એવો અભિગમ દર્શાવે છે જે વૈજ્ઞાનિક કઠોરતા સાથે કરુણાને જોડે છે.  તેનું  વિઝન એ વાત પર  ભાર મૂકે છે કે વન્યજીવનના રક્ષણ માટે માત્ર જાગૃતિ જ નહીં પરંતુ મજબૂત પ્રણાલીઓ, કુશળ વ્યાવસાયિકો અને નિરંતર સંસ્થાકીય સમર્થનની પણ જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
Embed widget