Mann Ki Baat 100th Episode Live: મન કી બાતનો 100મો એપિસોડ, આપના પત્ર વાંચીને ભાવુક થયો: PM મોદી
Mann Ki Baat 100th Episode: આજે મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ છે જેના માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ તૈયારીઓ કરી છે.

Background
Mann Ki Baat 100th Episode: આજે મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ છે જેના માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ તૈયારીઓ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત આજે તેનો 100મો એપિસોડ પ્રસારિત કરશે. સવારે 11 વાગ્યે દેશભરના લોકો પીએમ મોદીનું સંબોધન સાંભળશે. ભાજપનો ઉદ્દેશ્ય મન કી બાત કાર્યક્રમને વધુમાં વધુ સાંભળવાનો રેકોર્ડ બનાવવાનો છે. લગભગ 1000 લોકો સાથે બીજેપીના તમામ સાંસદો કાર્યક્રમ સાંભળશે.
PM મોદીએ મન કી બાતના 100મા એપિસોડના પ્રસારણ પહેલા ટ્વિટ કર્યું છે. તેમણે સવારે 11 વાગ્યે ટ્યુન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું, આ એક ખૂબ જ ખાસ યાત્રા રહી છે જેમાં અમે ભારતના લોકોની સામૂહિક ભાવનાની ઉજવણી કરી છે અને જીવનની પ્રેરણાદાયી યાત્રાઓને પ્રકાશિત કરી છે.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા કર્ણાટકના દાવણગેરેમાં હાજર રહેશે. હોનાલ્લીમાં ભાજપના ઉમેદવાર રેણુકાચાર્યના ઘરે પીએમનો મન કી બાત કાર્યક્રમ સાંભળશે. તેો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મુંબઈના વિલે પાર્લેમાં હશે જ્યાં તેઓ ગૃહ પ્રધાન સાથે એક વિશેષ કાર્યક્રમ સાંભળશે.
Mann Ki Baat: રેકોર્ડિંગ દરમિયાન હું ઘણી વખત ભાવુક થઈ ગયો છું કે... - PM મોદી
પીએમ મોદીએ કહ્યું, હું આ કાર્યક્રમમાં ઘણી વખત એટલો ભાવુક બની ગયો છું કે તેને ફરીથી રેકોર્ડ કરવો પડ્યો. આ પ્રવાસ મારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે.
Mann Ki Baat: મારા મનની આધ્યાત્મિક યાત્રા છે:PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા માટે આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ મારા મનની આદ્ય્યાત્મિક યાત્રા છે. મારા માટે આ એક પૂજા છે. મન કી બાતમાં અમે જે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ છીએ તે આ કાર્યક્રમના હીરો છે અને તે જ આ કાર્યક્રમને જીવંત રાખે છે.





















