શોધખોળ કરો

Mehsana News: ભાઈને મળવા જઈ રહેલા યુવકનું અકસ્માતમાં નિધન, મહેસાણા બાયપાસ પાસે બાઈકને ટ્રકે મારી ટક્કર

Mehsana News: મહેસાણા બાયપાસ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

Mehsana News: મહેસાણા બાયપાસ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પાટણના ચાણસ્મા તાલુકા ધરમોડા ગામનો યુવક બાઈક લઇ ગાંધીનગર ખાતે પોતાના ભાઈને મળવા જતો હતો ત્યારે મહેસાણા બાયપાસ હાઈવે ઉપર હિન્ડુંવા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

વ્યાજખોરોના ત્રાસથી આધેડે કરી આત્મહત્યા

 ગુજરાતમાં વ્યાજખોરોને ડામવા અને લોકોમાં જાગૃતિ લાવવા રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોની ચુગલમાંથી છોડવાવા ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો અને અનેક વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. પરંતુ તેમ છતાં હજુ પણ વ્યાજખોરો બેફામ હોય તેવી જ એક ઘટના રાધનપુરથી સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે જીવન ટૂંકાવ્યું છે અને સુસાઇડ નોટમાં આઠ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું છે તેવું ઉલ્લેખ કરાયું છે. સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાધનપુરના અરજણસર ગામે રહેતા વિભાભાઈ રાવળે દીકરી બીમાર થતા તેની સારવાર કરાવવા ગામના જ કેટલાક ઈસમો પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ત્યાર બાદ જે પૈસા લીધા હતા તે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી પરત ન કરી શકતા ઉછીના પૈસા આપનાર લોકો દ્વારા વિભાભાઈને ધાક ધમકી આપી વ્યાજ સાથે પૈસા આપવામાં માટે કડકાઈથી ઉઘરાણી કરતા હતા. વારંવાર પરેશાન કરતા હોવાથી વ્યાજખોરોના ત્રાસથી વિભાભાઈ નામના આધેડે આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

મૃતક વિભાભાઈ જોડેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં વ્યાજખોરોને મૂડી સાથે દસ ગણું વ્યાજ ભર્યું છે તેમ છતાં વારંવાર પૈસાની ઉઘરાણી કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે.  તેમજ અરજણસર ગામના આઠ વ્યાજ ખોરોના નામનો ઉલ્લેખ છે સાથે રાધનપુર પોલીસ પર પણ આક્ષેપ છે કે એક મહિના અગાઉ વ્યાજખોરો વિરોધ રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.  આ વ્યાજખોરો મને વારંવાર હેરાન કરે છે જેથી હું આત્માહત્યા કરું છું મારાં મર્યા પછી મારાં પરિવારને હેરાન કરવા નહી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવી તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયું હતું.

વ્યાજખોરોના ત્રાસથી આધેડના મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે અને ઘરના મોભીના મૃત્યુ થતાં કોઈ કમાનારુ પણ ન હોઈ પરિવારની કમર ભાંગી ગઈ છે. મૃતકના પરિવારજનોએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારાં પપ્પાએ ખુબ આગળ પગલું ભરી લીધું છે. અમે ગભરાઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતા નથી. સૌ વ્યાજવાળાનું સાંભળે છે. વ્યાજખોરો અમને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઘર બહાર પણ નીકળવા  દેતા ન હતા એટલે જ મારાં પપ્પાએ આ પગલું ભર્યું છે. 

પરિવારજનો પોલીસ પર પણ આક્ષેપ કરી રહ્યા છે કે એક મહિના અગાઉ રજુઆત કરી હતી પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરી. વ્યાજખોરોના ત્રાસથી અમે ગામ પણ છોડ્યું હતું પરંતુ અમને થોડી શાંતિ લાગી તો પાછા ગામમાં રહેવા આવ્યા પરંતુ ફરી વ્યાજખોરો ઘરે આવીને ધમકીઓ આપી પૈસાની ઉઘરાણી કરતા હતા. એટલે છેલ્લી ઘડીએ મારાં પિતાએ આ પગલું ભર્યું છે અને હવે પોલીસે અમારી ફરિયાદ લીધી છે. અમારી એક જ માંગ છે કે તમામ વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે.

વ્યાજખોરોના ત્રાસથી આધેડે જીવન ટૂંકાવ્યા બાદ રાધનપુર પોલીસ હરકતમાં આવી અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આઠ વ્યાજખોરોના નામજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રાધનપુર પીઆઇ પીકે પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે મૃતક જોડેથી અમને સુસાઇડ નોટ મળી છે તે તપાસનો વિષય છે. કારણ કે મૃતક ભણેલ ન હતો અને એને લખતા પણ  આવડતું ન હતું તો આ હસ્તાક્ષર કોના છે તે પણ તપાસ કરીશું. સાથે વ્યાજખોરો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેમજ અગાઉ પણ આ રીતે કોઈને વ્યાજવા પૈસા આપ્યા છે કે નહી તે તમામ દિશામાં તપાસ કરી અને આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"

વિડિઓઝ

Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
Supreme Court: 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેનાર મહિલાઓને મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
LPG યૂઝર્સ ધ્યાન આપે! તમામ લોકોએ નથી કરવાનું eKYC, જાણો કોને જરુર પડશે, સરકારની સ્પષ્ટતા 
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Bank of Baroda ની આ સ્કીમમાં ₹5,00,000 જમા કરવા પર ₹2,07,389 મળશે રિટર્ન, સમજો કેલક્યુલેશન 
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Safety Tips: ઓનલાઈન કેબ બુક કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખે મહિલાઓ
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થઈ ગયો મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થઈ ગયો મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Embed widget