શોધખોળ કરો

Mehsana News: ભાઈને મળવા જઈ રહેલા યુવકનું અકસ્માતમાં નિધન, મહેસાણા બાયપાસ પાસે બાઈકને ટ્રકે મારી ટક્કર

Mehsana News: મહેસાણા બાયપાસ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

Mehsana News: મહેસાણા બાયપાસ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પાટણના ચાણસ્મા તાલુકા ધરમોડા ગામનો યુવક બાઈક લઇ ગાંધીનગર ખાતે પોતાના ભાઈને મળવા જતો હતો ત્યારે મહેસાણા બાયપાસ હાઈવે ઉપર હિન્ડુંવા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

વ્યાજખોરોના ત્રાસથી આધેડે કરી આત્મહત્યા

 ગુજરાતમાં વ્યાજખોરોને ડામવા અને લોકોમાં જાગૃતિ લાવવા રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોની ચુગલમાંથી છોડવાવા ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો અને અનેક વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. પરંતુ તેમ છતાં હજુ પણ વ્યાજખોરો બેફામ હોય તેવી જ એક ઘટના રાધનપુરથી સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે જીવન ટૂંકાવ્યું છે અને સુસાઇડ નોટમાં આઠ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું છે તેવું ઉલ્લેખ કરાયું છે. સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાધનપુરના અરજણસર ગામે રહેતા વિભાભાઈ રાવળે દીકરી બીમાર થતા તેની સારવાર કરાવવા ગામના જ કેટલાક ઈસમો પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ત્યાર બાદ જે પૈસા લીધા હતા તે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી પરત ન કરી શકતા ઉછીના પૈસા આપનાર લોકો દ્વારા વિભાભાઈને ધાક ધમકી આપી વ્યાજ સાથે પૈસા આપવામાં માટે કડકાઈથી ઉઘરાણી કરતા હતા. વારંવાર પરેશાન કરતા હોવાથી વ્યાજખોરોના ત્રાસથી વિભાભાઈ નામના આધેડે આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

મૃતક વિભાભાઈ જોડેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં વ્યાજખોરોને મૂડી સાથે દસ ગણું વ્યાજ ભર્યું છે તેમ છતાં વારંવાર પૈસાની ઉઘરાણી કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે.  તેમજ અરજણસર ગામના આઠ વ્યાજ ખોરોના નામનો ઉલ્લેખ છે સાથે રાધનપુર પોલીસ પર પણ આક્ષેપ છે કે એક મહિના અગાઉ વ્યાજખોરો વિરોધ રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.  આ વ્યાજખોરો મને વારંવાર હેરાન કરે છે જેથી હું આત્માહત્યા કરું છું મારાં મર્યા પછી મારાં પરિવારને હેરાન કરવા નહી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવી તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયું હતું.

વ્યાજખોરોના ત્રાસથી આધેડના મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે અને ઘરના મોભીના મૃત્યુ થતાં કોઈ કમાનારુ પણ ન હોઈ પરિવારની કમર ભાંગી ગઈ છે. મૃતકના પરિવારજનોએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારાં પપ્પાએ ખુબ આગળ પગલું ભરી લીધું છે. અમે ગભરાઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતા નથી. સૌ વ્યાજવાળાનું સાંભળે છે. વ્યાજખોરો અમને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઘર બહાર પણ નીકળવા  દેતા ન હતા એટલે જ મારાં પપ્પાએ આ પગલું ભર્યું છે. 

પરિવારજનો પોલીસ પર પણ આક્ષેપ કરી રહ્યા છે કે એક મહિના અગાઉ રજુઆત કરી હતી પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરી. વ્યાજખોરોના ત્રાસથી અમે ગામ પણ છોડ્યું હતું પરંતુ અમને થોડી શાંતિ લાગી તો પાછા ગામમાં રહેવા આવ્યા પરંતુ ફરી વ્યાજખોરો ઘરે આવીને ધમકીઓ આપી પૈસાની ઉઘરાણી કરતા હતા. એટલે છેલ્લી ઘડીએ મારાં પિતાએ આ પગલું ભર્યું છે અને હવે પોલીસે અમારી ફરિયાદ લીધી છે. અમારી એક જ માંગ છે કે તમામ વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે.

વ્યાજખોરોના ત્રાસથી આધેડે જીવન ટૂંકાવ્યા બાદ રાધનપુર પોલીસ હરકતમાં આવી અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આઠ વ્યાજખોરોના નામજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રાધનપુર પીઆઇ પીકે પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે મૃતક જોડેથી અમને સુસાઇડ નોટ મળી છે તે તપાસનો વિષય છે. કારણ કે મૃતક ભણેલ ન હતો અને એને લખતા પણ  આવડતું ન હતું તો આ હસ્તાક્ષર કોના છે તે પણ તપાસ કરીશું. સાથે વ્યાજખોરો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેમજ અગાઉ પણ આ રીતે કોઈને વ્યાજવા પૈસા આપ્યા છે કે નહી તે તમામ દિશામાં તપાસ કરી અને આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget