શોધખોળ કરો

TIRANGA YATRA: મહેસાણામાં ચાલતા જૂથવાદ વચ્ચે ભાજપના ધારાસભ્યની તિરંગાયાત્રા, આ નેતાની થઈ અચાનક એન્ટ્રી

મહેસાણા: વિજાપુર ખાતે ભાજપના નેતાઓ દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલના શક્તિ પ્રદર્શન બાદ હવે વર્તમાન ધારાસભ્યએ શક્તિ પ્રદર્શન કર્યું છે.

મહેસાણા: વિજાપુર ખાતે ભાજપના નેતાઓ દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલના શક્તિ પ્રદર્શન બાદ હવે વર્તમાન ધારાસભ્યએ શક્તિ પ્રદર્શન કર્યું છે. તિરંગા યાત્રાના ભાગરૂપે 1 કિમી લાંબી રેલી યોજી હતી. જો કે આ રેલીની શરૂઆતમાં ભાજપના ધારાસભ્યના વિરોધી જૂથની ગેરહાજરી આંખે ઉડીને સામે આવી હતી. પીઆઈ પટેલની સભામાં હાજર રહેલા ભાજપ નેતાઓની ગેરહાજરી સૂચક માનવામાં આવી હતી. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ સભામાં ઉપસ્થિત રહયા હતા.

વિજાપુર ભાજપ તિરંગા યાત્રામાં ભાજપનું બીજું જૂથ પણ આખરે પહોંચતા બીજેપીમાં ચાલતા જૂથવાદ પર હાલમાં વિરામ મૂકાયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પીઆઇ પટેલ, નીતિન પટેલ સહીત તમામ ભાજપ નેતાઓ સભા સ્થળે પહોંચ્યા હતા. નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા ભાજપના એક જૂથે તિરંગા યાત્રાના નામે એક સભા અને રેલીનું આયોજન કર્યું હતું જેમા વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલને આમંત્રણ અપાયું નહોતું. જેથી હવે આજે ધારાસભ્ય રમણ પટેલના નેજા હેઠળ ભાજપની નીકળેલ તિરંગા યાત્રામાં પીઆઇ પટેલનું ગ્રુપ પણ હાજર રહેતા લોકો ચોંકી ગયા હતા. ભાજપના આંતરીક વિવાદ વચ્ચે બંને જૂથ એક સાથે સભામા હાજર રહ્યા હતા.  વિજાપુરના

ગુજરાતમાં ઠેર ઠેર તિરંગાયાત્રાનું આયોજન

આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના સુખપર ગામના સ્વામિનારાયણની શંખયોગી બહેનો દ્વારા યોજવામાં આવી તિરંગા રેલી. સુખપર ગામના બહેનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. સુખપર સ્વામિનારાયણ મંદિરથી નીકળી તિરંગા યાત્રા.

SDRF જવાનો દ્વારા કરતબો કરવામાં આવ્યા

રાજકોટના ઘંટેશ્વર SDRFની ટિમ દ્રારા દિલધડક રીતે રાષ્ટ્રીધ્વજ લહેરવામાં આવ્યો. આજી ડેમમાં ધુધવાતા અને કડકાળતા ઠંડા પાણીમાં જવાનો ઉતરી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જવાનો 20 ફૂટ કરતા ઊંડા પાણીમાં ઉતરી દેશભક્તિના રંગ બતાવ્યા. SDRF જવાનો દ્રારા બોટમાં તિરંગા લહેરાવી અવનવા કરતબો બતાવ્યા હતા. ઘંટેશ્વર એસઆરપી કેમ્પના જવાનોમાં જબરજસ્ત દિલધડક કરતબો કર્યા.

સી.આર.પાટીલ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે

75માં આઝાદી અમૃત મહોત્સવ હેઠળ સી.આર.પાટીલ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. મોટેરા સ્થિત સ્વસ્તિક શિક્ષણ સંકુલના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ  હાજર રહેશે. 421 ફૂટ લંબાઈ અને 6 ફૂટ પહોળા તિરંગા સાથે વિદ્યાર્થીઓ યાત્રા કાઢશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ યાત્રાને પ્રસ્થાન કરાવશે.

નાણામંત્રી કનુ દેસાઈ 100 ફૂટ ઊંચા તિરંગા

વલસાડ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ઉત્સાહનો માહોલ છે. વાપીમાં નાણામંત્રીના હસ્તે જિલ્લાનો સૌથી ઉંચો તિરંગો ફરકાવશે. નાણામંત્રી કનુ દેસાઈ 100 ફૂટ ઊંચા તિરંગા ફરકાવશે. વરસતા વરસાદમાં અસંખ્ય લોકો જોડાયા હતા. વરસતા વરસાદમાં પોલીસ જવાનો અને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વાપીની બજારમાં ભવ્ય રંગારંગ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget