શોધખોળ કરો

Weather Update: દેશના આ 13 રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

દેશના અનેક રાજ્યોમાં હાલ કમોસમી વરસાદે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. હવામાન વિભાગે 13 રાજ્યોમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

Weather Update: દેશના અનેક રાજ્યોમાં હાલ કમોસમી વરસાદે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. હવામાન વિભાગે 13 રાજ્યોમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

હવામાન વિભાગ મુજબ અરુણાચલ, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ અને દેશના 13 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અન્ય રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે અને હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  IMDના અધિકારીઓનું કહેવું છે કે, શુક્રવારથી આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી

જમ્મુ-કાશ્મીર અને હિમાલયના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓના મતે અલ નિનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મે મહિનામાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. જે 13 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે તેમાં સિક્કિમ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે.

15 દિવસથી કમોસમી વરસાદથી પાકને અસર થઈ છે

15 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે દેશના 18 રાજ્યોમાં બાગાયતી ખેતી સહિતના પાકને અસર થઈ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશમાં બટાટા અને પંજાબ અને દેશની રાજધાની દિલ્હી, ગુજરાત  સહિત મોટાભાગના રાજ્યોમાં લીલા શાકભાજીના પાકને અને ઉનાળુ પાકને  નુકસાન થયું છે.

  ખરાબ હવામાનના કરાણે 8 મે સુધી કેદારધામ યાત્રા સ્થગિત, આગામી  4 દિવસ બરફવર્ષાની આગાહી

ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા 8 મે સુધી રોકી દેવામાં આવી હતી. તીર્થયાત્રીઓને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 11 દિવસની યાત્રામાં એક લાખ 42 હજાર 788 થી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

કેદારનાથમાં હવામાન સતત બગડી રહ્યું છે. જ્યાં એક તરફ સતત ભારે હિમવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ ગ્લેશિયર્સ દરરોજ તૂટી રહ્યા છે. જેના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો અવરોધાયો હતો. હા, ગઈકાલે ભૈરવ અને કુબેર ગડેરે ખાતે ગ્લેશિયર તૂટવાને કારણે યાત્રાનો માર્ગ ખોરવાઈ ગયો હતો.

જે બાદ DDMA, SDRF, DDRF, NDRF, YMF અને પોલીસ કર્મચારીઓએ સખત મહેનત બાદ રસ્તો તૈયાર કર્યો છે. જ્યાં સીડી બનાવીને યાત્રિકોની અવરજવર શરૂ કરવામાં આવી હતી.

આટલું જ નહીં કેદાર ઘાટીમાં આગામી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેના કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પર 8 મે સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા 3 મેના રોજ ખરાબ હવામાનના કારણે યાત્રા રોકવી પડી હતી. દરમિયાન યાત્રાના રૂટ પર ગ્લેશિયર્સ સતત તૂટી રહ્યા છે, જેના કારણે રૂટને સરળ બનાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે માત્ર 4,100 તીર્થયાત્રીઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget