શોધખોળ કરો

Modi Port of Spain Photos: PM મોદીનું ત્રિનિદાદ એન્ડ ટોબૈગોમાં શાનદાર સ્વાગત, ભારતીય સમુદાયને પણ કર્યું સંબોધન

Modi Port of Spain Photos:  ત્રિનિદાદ અને ટોબૈગોમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિભૂત થયા હતા.

Modi Port of Spain Photos:  ત્રિનિદાદ અને ટોબૈગોમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિભૂત થયા હતા. તેમણે તેમના સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ પર મુલાકાતની ખાસ તસવીરો શેર કરી હતી. ભારતીય પ્રવાસીઓ ઉપરાંત પીએમ મોદી સ્થાનિક યુવાનો અને કલાકારોને પણ મળ્યા હતા.

‘ભારત કો જાનો’ ક્વિઝના વિજેતાઓ સાથે કરી મુલાકાત

પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબૈગોમાં ‘ભારત કો જાનો’ ક્વિઝના વિજેતા શંકર રામજતન, નિકોલસ મૈરાજ અને વિન્સ મહતોને મળ્યા હતા. દરમિયાન, પીએમ મોદીએ કહ્યું હતું કે આ ક્વિઝે વિશ્વભરમાં વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. તેનાથી ભારત સાથે આપણા પ્રવાસી સમુદાયનો સંબંધ વધુ ગાઢ બન્યો છે.

પીએમ મોદીએ સ્વાગત માટે ભારતીય સમુદાયનો આભાર માન્યો

પીએમ મોદીએ પોર્ટ ઓફ સ્પેનમાં અવિસ્મરણીય સ્વાગત માટે સ્થાનિક ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે ઘણા વર્ષો પહેલા ભારતમાંથી ઘણા લોકો ત્રિનિદાદ અને ટોબૈગો આવ્યા હતા. વર્ષોથી તેઓએ અહીં ઘણા ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી અને દેશના વિકાસમાં મદદ કરી હતી. તેઓ હજુ પણ ભારત સાથે જોડાયેલા અનુભવે છે અને ભારતીય સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવે છે.

મોદીએ અયોધ્યા વિશે પણ આ વાત કહી

ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ અને સરયુ નદીનું થોડું જળ લાવવું મારા માટે સન્માનની વાત છે. સરયુ જી અને પવિત્ર સંગમનું આ જળ શ્રદ્ધાનું અમૃત છે. આ વહેતો પ્રવાહ છે, જે હંમેશા આપણા મૂલ્યો, આપણા સંસ્કારોને જીવંત રાખે છે.

વડાપ્રધાન મોદીએ મહાકુંભને યાદ કર્યો

ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તમે બધા જાણો છો કે આ વર્ષની શરૂઆતમાં વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો મહાકુંભ યોજાયો હતો. મને મહાકુંભનું પવિત્ર જળ મારી સાથે લાવવાનો લહાવો મળ્યો છે. "હું કમલાજીને વિનંતી કરું છું કે તેઓ અહીં સરયુ નદી અને મહાકુંભનું પવિત્ર જળ અહીં ગંગા પ્રવાહમાં અર્પણ કરે."

બિહારનો વારસો ભારત તેમજ વિશ્વનું ગૌરવ છે - પીએમ મોદી

ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાન કમલાજીના પૂર્વજો બિહારના બક્સરમાં રહેતા હતા. કમલાજી પોતે ત્યાં ગયા છે. લોકો તેમને બિહારની દીકરી માને છે. અહીં હાજર ઘણા લોકોના પૂર્વજો બિહારથી આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે બિહારનો વારસો ભારત તેમજ વિશ્વનું ગૌરવ છે. લોકશાહી હોય, રાજકારણ હોય, રાજદ્વારી હોય, ઉચ્ચ શિક્ષણ હોય, બિહારે સદીઓ પહેલા આવા ઘણા વિષયોમાં વિશ્વને નવી દિશા બતાવી હતી. મને વિશ્વાસ છે કે 21મી સદીના વિશ્વ માટે પણ બિહારની ભૂમિમાંથી નવી પ્રેરણા અને નવી તકો ઉભરી આવશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget