શોધખોળ કરો

Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી

સમાજવાદી પાર્ટીના સમર્થનથી કપિલ સિબ્બલે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

Kapl Sibal  Rajya Sabha Nomination: કપિલ સિબ્બલે આજે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આજે સમાજવાદી પાર્ટીના સમર્થનથી કપિલ સિબ્બલે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ સિબ્બલે કહ્યું કે, તેમણે ગત 16 મેના દિવસે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પ્રમુખ મહાસચિવ રામગોપાલ યાદવ સહિતના નેતાઓ કપિલ સિબ્બલ સાથે હાજર રહ્યા હતા. કપિલ સિબ્બલે કોંગ્રેસ નેતૃત્વ સામે મોર્ચો ખોલ્યા બાદ સમાજવાદી પાર્ટી તેમને રાજ્યસભા મોકલવા માટે તૈયાર હતી. એટલું જ નહીં લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ અને ઝારખંડ મુક્તિ મોર્ચા પણ સમર્થન આપીને સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતી.

કોંગ્રેસ હાઈકમાન્ડને પડકારઃ
ઉલ્લેખનીય છે કે, એક પછી એક ઘણા રાજ્યોમાં સતત કોંગ્રેસની હાર થઈ હતી ત્યાર બાદ કપિલ સિબ્બલે ગાંધી પરિવારના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. આ જ કારણ છે કે આ વખતે કપિલ સિબ્બલને કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં મોકલાય તેની શક્યતા ઘણી ઓછી હતી. જેને લઈ સિબ્બલ સમાજવાદી પાર્ટી, આરજેડી અને JMM (ઝારખંડ મુક્તિ મોર્ચા)ના સંપર્કમાં હતા. આવો તમને જણાવીએ કે, સમાજવાદી પાર્ટી કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે કેમ તૈયાર થઈ. ઉલ્લેખનીય છે કે, હાલ સિબ્બલ ઉત્તરપ્રદેશ રાજ્યમાંથી કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ છે. 

સિબ્બલને કેમ મળ્યો સપાનો સાથ?
સિબ્બલે થોડા દિવસ પહેલાં જ સપા નેતા આઝમ ખાનનો કેસ કોર્ટમાં લડ્યો હતો અને આખરે આઝમ ખાનને જામીન પર છોડવામાં આવ્યા હતા. નારાજ થયેલા આઝમ ખાનને સિબ્બલ દ્વારા મોટી રાહત મળી હતી અને તેનાથી આઝમ ખાને પણ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું.

એટલું જ નહીં, ચૂંટણી આયોગમાં પણ કપિલ સિબ્બલે સમાજવાદી પાર્ટીના ચિહ્નના કેસમાં અખિલેશ યાદવના પક્ષમાં દલિલો કરી હતી અને કેસ જીત્યો હતો. વર્ષ 2014 અને પછી 2016માં પણ મુલાયમ સિંહ યાદવ તરફથી કપિલ સિબ્બલને રાજ્યસભા મોકલવાના પ્રસ્તાવની વાત સામે આવી હતી. સિબ્બલ કેટલાક બીજા કેસો પણ મુલાયમ સિંહ યાદવ માટે કેસ લડી ચુક્યા છે.

RJD અને JMM પણ તૈયાર હતુંઃ
બીજી તરફ લાલુ પ્રસાદ યાદવનો ચારા ઘોટાળાનો કેસ લડી રહેલા કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે રાષ્ટ્રીય જનતા દલ પણ તૈયાર હતું. આ સાથે અન્ય કેસોમાં પણ કપિલ સિબ્બલ વકિલાત કરે તે માટે RJD રાજ્યસભા સીટ આપવા તૈયાર હતી. ઝારખંડ મુક્તિ મોર્ચા પણ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર હતી કારણ કે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપર પણ ખનીજ ખાણની માઈન્સના લીઝ લેવાનો આરોપ છે જેનો કેસ કોર્ટમાં છે અને આ કેસ સિબ્બલ લડી રહ્યા છે. તેથી કપિલ સિબ્બલને પોતાની તરફ કરવા માટે JMM રાજ્યસભાની ટિકીટ આપવા તૈયાર હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.