શોધખોળ કરો

ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’

વિસાવદરની જીત બાદ રાજકોટમાં શક્તિ પ્રદર્શન; ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા, વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી.

Gopal Italia Rajkot Rally: રાજકોટ, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યાં આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની શક્તિ પ્રદર્શિત કરી. વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ની ભવ્ય વિજય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. મવડી ચોકડી થી રૈયા રોડ સુધી યોજાઈ રહેલી આ યાત્રામાં AAP ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા, જે ભાજપના ગઢમાં ગાબડું પાડવાના AAP ના પ્રયાસોનો સંકેત આપે છે.

વિજય યાત્રા અને ગોપાલ ઇટાલિયાના નિવેદનો

વિજય યાત્રા શરૂ થતા પહેલા ગોપાલ ઇટાલિયા એ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના કાર્યોના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે, "મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે. સામાન્ય રીતે ધારાસભ્યો જીત્યો હોય તો એના પાંચ લોકો જ રાજી થાય. એક તરફ ભાજપની આખી ફોજ હતી, બીજી તરફ હું અને અમારા ઇસુદાનભાઈ તથા મનોજભાઈ હતા. વિસાવદરમાં ખેડૂતોની ફોજે મને જીતાડ્યા. અસત્યની સામે સત્યનો વિજય થયો."

ગોપાલ ઇટાલિયા એ રાજકોટમાંથી વિજય સંદેશ યાત્રા નીકળવાની જાહેરાત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે નામ લીધા વિના રાજકોટના નેતાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, "મને હરાવવા માટે નાયાધોયા વિના અનેક રાજકોટ ભાજપના નેતાઓ આંટા મારતા હતા. રાજકોટ શહેર અને જિલ્લાના અગ્રણીઓ વિસાવદર આંટા મારતા હતા. રાજકોટના રોડ રસ્તાઓ કેવા છે, ત્યાં આવીને પેરિસ જેવા રોડની વાતો કરતા હતા."

રાજ્યના રોડ રસ્તાઓ અને ભૂમાફિયા સામે કાર્યવાહી ન કરવા બદલ તેમણે ફરી ગૃહ રાજ્ય મંત્રી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, "રાજ્યની પોલીસમાં ત્રેવડ નથી કે આવા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરે." આ નિવેદનો AAP અને ભાજપ વચ્ચેની રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બનાવશે તેવું લાગી રહ્યું છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત

ગુજરાતમાં વિસાવદર બેઠક પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ બમ્પર જીત સાથે પોતાની બેઠક સફળતાપૂર્વક જાળવી રાખી હતી. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ખાલી પડેલી આ બેઠક પર AAPના ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર બાજી મારી લીધી હતી.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે 17,554 મતોની જબરદસ્ત સરસાઈ મેળવીને પ્રચંડ વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ ગોપાલ ઇટાલિયા સત્તાવાર રીતે ધારાસભ્ય બની ગયા હતા અને તેમને પ્રમાણપત્ર પણ મળી ચૂક્યું હતું.

વિસાવદરમાં કુલ 21 રાઉન્ડની મતગણતરીના અંતે, AAPના ગોપાલ ઇટાલિયાને 75,906 મત મળ્યા હતા, જે કુલ મતોના 51% થી વધુ હતા. જ્યારે ભાજપને 58,325 મત મળ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસને માત્ર 5,491 મત મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાની આ ભવ્ય જીતને કારણે AAPના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં આ વિજયની નોંધ લેવાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget