શોધખોળ કરો

Saurashtra University: સિન્ડિકેટ પદ પરથી દૂર કરાયેલા ડો. ક્લાધર આર્યએ ઇન્ચાર્જ કુલપતિ પર ગંભીર આરોપ લગાવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.  રોજે રોજ એકબીજા પર આક્ષેપો સામે આવી રહ્યા છે.

રાજકોટ:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.  રોજે રોજ એકબીજા પર આક્ષેપો સામે આવી રહ્યા છે.આજે ફરી સિન્ડિકેટ પદ પરથી દૂર કરાયેલા ડો. ક્લાધર આર્યએ ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી પર ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા. કલાધર આર્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પર્ફોમિંગ આર્ટ્સમાં તબલામાં નિષ્ણાંત ન હોવાથી મને રાગદ્વેષથી હટાવ્યો છે.

ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીને ડો ક્લાધર આર્યએ પડકાર ફેંક્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 13 લોકો અલગ-અલગ સમિતિમાં  નિષ્ણાત ન હોવા છતાં તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કલાધર આર્ય દ્વારા મીડિયા સમક્ષ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મને દૂર કરવામાં આવ્યો તો આ 13 સમિતિના લોકોને કેમ દૂર કરવામાં આવ્યા નથી લઈને વેધક સવાલો ડો.કલાધર આર્ય દ્વારા કુલપતિને કરવામાં આવ્યા હતા.સમિતિમાં અનેક મોટા માથાઓના નામ કલાધર આર્યએ આપ્યા હતા.

સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમા ખડભડાટ મચી ગયો છે. જે અલગ અલગ 13 સમિતિમાં નિમણૂક પામ્યા હતા તેઓ તે વિષયમાં સ્નાતક નથી. છતાં તેઓને દૂર કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ તો રાજકીય અખાડો બની ગઈ છે. રોજે રોજ ઇન્ચાર્જ કુલપતિ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો અલગ અલગ મુદ્દે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. 

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત

ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોની મહત્વની બેઠક મળી હતી.  જે બેઠકમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે સાથે ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશનમાં વિદ્યાર્થિઓને પડતી હલાકી બાબતે ચાલું બેઠક દરમિયાન કર્મચારીઓને બોલાવી ઠપકો પણ આપવામાં આવ્યો હતો.  કારણ કે ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ઓનલાઇન કરવાથી કામનું ભારણ વધ્યું હતું, જેના કારણે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે આધાર કાર્ડ માટેની પ્રક્રિયા ઉપરાંત લર્નિંગ લાઇસન્સની સુવિધા કેમ્પસમાં જ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે. 


સિન્ડિકેની બેઠકમાં બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે.  264 કરોડના બજેટમાં યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.  મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.

આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિન્ડિકેટ બેઠક અગાઉ એકેડમી કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્યોની સંયુક્ત બેઠક પણ મળી હતી.  જેમાં હાલના કુલપતિની ટર્મ પૂરી થતી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીમાં સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવી છે.  જેમાં જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. કોઈપણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવે છે. જેમાં એક સભ્ય રાજ્યપાલ , એક સભ્ય જોઈન્ટ ડાયરેક્ટર ઓફ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને એક સભ્ય યુનિવર્સિટીના સત્તા મંડળમાંથી પસંદગી કરવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Tsunami:  8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા-જાપાનના અનેક હિસ્સાઓમાં સુનામી, હવાઈ, ચિલી અને સોલોમન દ્વીપમાં એલર્ટ
Tsunami: 8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા-જાપાનના અનેક હિસ્સાઓમાં સુનામી, હવાઈ, ચિલી અને સોલોમન દ્વીપમાં એલર્ટ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કૉરિડોરનું નિર્માણ થશે, 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર
અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કૉરિડોરનું નિર્માણ થશે, 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tsunami:  8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા-જાપાનના અનેક હિસ્સાઓમાં સુનામી, હવાઈ, ચિલી અને સોલોમન દ્વીપમાં એલર્ટ
Tsunami: 8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા-જાપાનના અનેક હિસ્સાઓમાં સુનામી, હવાઈ, ચિલી અને સોલોમન દ્વીપમાં એલર્ટ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કૉરિડોરનું નિર્માણ થશે, 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર
અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કૉરિડોરનું નિર્માણ થશે, 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર
Shravan 2025: શિવલિંગ પર ભૂલથી પણ ના ચઢાવો આ વસ્તુઓ, ભોલેનાથ થઈ થશે નારાજ
Shravan 2025: શિવલિંગ પર ભૂલથી પણ ના ચઢાવો આ વસ્તુઓ, ભોલેનાથ થઈ થશે નારાજ
Tsunami Alert:  આગામી ત્રણ કલાકમાં રશિયા-જાપાનમાં તબાહી મચાવી શકે છે સુનામી, ભૂકંપ બાદ એલર્ટ
Tsunami Alert: આગામી ત્રણ કલાકમાં રશિયા-જાપાનમાં તબાહી મચાવી શકે છે સુનામી, ભૂકંપ બાદ એલર્ટ
Shravan 2025: શ્રાવણ મહિનામાં પૂજા દરમિયાન શિવલિંગ પર ચઢાવો આ એક વસ્તુ, વધશે ધન-સમૃદ્ધિ
Shravan 2025: શ્રાવણ મહિનામાં પૂજા દરમિયાન શિવલિંગ પર ચઢાવો આ એક વસ્તુ, વધશે ધન-સમૃદ્ધિ
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
Embed widget