![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Heart Attack: જેતપુરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, પરિવારજનો શોકમગ્ન
રાજેશ પ્રાણલાલ વોરા નામના 42 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવયો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
![Heart Attack: જેતપુરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, પરિવારજનો શોકમગ્ન Heart Attack News: Due to heart attack 42 year old man died in Jetpur Heart Attack: જેતપુરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, પરિવારજનો શોકમગ્ન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/2ee28deca7f8f790e18a31bd1dc80d2a170853369395676_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot News: રાજ્યમાં છેલ્લા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. આ દરમિયાન જેતપુરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયું છે. જેતપુર નાનાચોક વિસ્તારમાં પ્રાણલાલ એન્ડ બ્રધર્સ નામની બંગડીની દુકાનમાં વેપાર કરતા હતા તે દરમિયાન યુવકને આવેલો હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો હતો. રાજેશ પ્રાણલાલ વોરા નામના 42 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવયો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. યુવાનને હાર્ટએટેકથી મોતના પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
કોરોના રસીથી વધી ન્યૂરો અને હૃદય સંબંધી સમસ્યા, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
કોવિડ રસી પર અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસમાં તેની સાથે સંકળાયેલા કેટલાક જોખમોની ઓળખ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં ગ્લોબલ વેક્સીન ડેટા નેટવર્ક (જીવીડીએન)ના સંશોધકોએ આઠ દેશોમાં કોવિડ રસી લેતા 9.9 કરોડ લોકો પર રસીની અસરનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન, તેઓએ કોવિડ રસી લીધા પછીના સમયગાળામાં 13 વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં ફેરફારોનું નિરીક્ષણ કર્યું. આ અભ્યાસ વેક્સિન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે.
જીવીડીએનએ દાવો કર્યો છે કે કોવિડ રસી રસીકરણ પછી ન્યુરોલોજીકલ, રક્ત અને કાર્ડિયોવેસ્ક્યુલર તબીબી પરિસ્થિતિઓમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જે લોકોને ચોક્કસ પ્રકારની mRNA રસી આપવામાં આવી હતી તેઓને મ્યોકાર્ડિટિસ (હૃદયના સ્નાયુમાં બળતરા) થવાનું જોખમ વધુ હોવાનું જણાયું હતું. કેટલીક વાયરલ-વેક્ટર રસીઓ મગજમાં લોહીના ગંઠાઈ જવાના ઊંચા જોખમ સાથે પણ સંકળાયેલી છે, તેમજ ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જેમાં રોગપ્રતિકારક તંત્ર ચેતા પર હુમલો કરે છે) ની શક્યતા વધી જાય છે.
વાઈરલ વેક્ટર રસીના અન્ય સંભવિત જોખમોમાં વાઈરલ વેક્ટર અને mRNA રસી પછી કરોડરજ્જુની બળતરા અને મગજ અને કરોડરજ્જુની બળતરા જેવી તબીબી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. સંશોધકોએ એમ પણ કહ્યું છે કે તમામ રસીની આડઅસર હોય છે. તે હંમેશા જોખમ/લાભ વિશ્લેષણ પર આધાર રાખે છે કે તમે શેનાથી વધુ ડરો છો. રસી અથવા વાઈરસની જ આડઅસર, જે મગજ, શ્વસન અને હૃદયની સમસ્યાઓ જેવી લાંબા ગાળાની આડઅસર કરી શકે છે. આ અભ્યાસ આઠ દેશોના 9.9 કરોડ લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)