શોધખોળ કરો

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફી

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફી

Gyan Prakash Swami apology: જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિવાદનો આખરે અંત આવ્યો છે. લાખો ભક્તોની માંગણી અને રઘુવંશી સમાજના આક્રોશને પગલે સ્વામી જ્ઞાન પ્રકાશ આજે વીરપુર સ્થિત જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા અને જાહેરમાં માફી માંગી હતી.

થોડા દિવસો પહેલાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે એક ટિપ્પણી કરી હતી, જેના કારણે રઘુવંશી સમાજ, જલારામ બાપાના ભક્તો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. લોકોએ સ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને તેમની માફીની માંગણી કરી હતી.

પ્રથમ પ્રતિભાવ રૂપે, સ્વામી જ્ઞાન પ્રકાશે એક વિડિયો બનાવીને માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોનો આક્રોશ શાંત થયો ન હતો. લાખો લોકોની માંગણી હતી કે સ્વામી જાતે વીરપુર આવે અને જલારામ બાપાના મંદિરે માફી માંગે. લોકોની લાગણી અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આખરે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવવા માટે તૈયાર થયા હતા.

આજે સવારે, સ્વામી જ્ઞાન પ્રકાશને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીરપુર લાવવામાં આવ્યા હતા. તેઓ બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર પહોંચ્યા હતા, પરંતુ મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સ્વામીને સીધા મંદિરના પાછળના ભાગેથી મંદિરમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે જલારામ બાપાના ચરણોમાં માથું નમાવી માફી માંગી હતી.

નોંધનીય છે કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી તાજેતરમાં જલારામબાપા વિશે કરેલી એક ટિપ્પણીને લઈને વિવાદમાં સપડાયા હતા. સ્વામી દ્વારા કરવામાં આવેલા નિવેદનથી રઘુવંશી સમાજ અને જલારામબાપાના લાખો ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને, સ્વામીએ તાત્કાલિક માફી માંગી હતી, પરંતુ તેમ છતાં આ મુદ્દો શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. આવતીકાલે યાત્રાધામ વીરપુરમાં આ મામલે રઘુવંશી સમાજ અને ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવનાર હતી.

સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામબાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીમાં તેમણે દાવો કર્યો હતો કે જલારામબાપાનો ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જલારામબાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી સદાવ્રત કાયમી ધોરણે ચલાવવા માટે આશીર્વાદ માંગ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ ભંડાર કાયમ ભરેલો રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. વધુમાં, સ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર આવ્યા હતા, ત્યારે જલારામબાપાએ તેમને દાળ અને બાટી જમાડ્યા હતા.

આ નિવેદન જલારામબાપાના ભક્તો અને રઘુવંશી સમાજને ગમ્યું ન હતું અને તુરંત જ તીવ્ર પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. લોકોએ સ્વામીના નિવેદનને જલારામબાપાના ઇતિહાસ સાથે ચેડાં કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

જલારામબાપાના વંશજ ભરતભાઈ ચંદ્રાણીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જલારામબાપાએ 205 વર્ષ પહેલાં ભોજલારામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાખો ભક્તો આ સત્ય જાણે છે અને સ્વામીના નિવેદન સાથે ગાદીપતિ કે જલારામબાપા પરિવારનું કોઈ સમર્થન નથી.

વીરપુરના ગ્રામજનો, રઘુવંશી સમાજ અને જલારામબાપાના ભક્તોએ એકસૂરે સ્વામી જ્ઞાન પ્રકાશની ટિપ્પણીને વખોડી કાઢી હતી. તેઓએ માંગ કરી હતી કે સ્વામી જલારામબાપાના ઇતિહાસ વિશે આવી ટિપ્પણીઓ કરવાનું બંધ કરે અને જો તેમની પાસે કોઈ આધારભૂત સાહિત્ય હોય તો તે વીરપુર લઈને આવે. લોકોએ જલારામબાપાના ઇતિહાસ સાથે કોઈ પણ પ્રકારના ચેડાં નહીં સાંખી લેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને સદાવ્રત ભોજલારામ બાપાના આશીર્વાદથી જ ચાલતું રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોએ એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે સ્વામી જ્ઞાન પ્રકાશ કદાચ પોતાના ધર્મના પ્રચાર માટે આવી ટિપ્પણી કરી રહ્યા હશે.

રાજકોટ વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ABP Premium

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Embed widget