રાજકોટમાં પરપ્રાંતીય યુવકોએ મહિલા પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતા ચકચાર
રાજ્યમાં મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. હવે રાજકોટમાં સામે આવેલી ઘટના બાદ ફરી મહિલા સુરક્ષા અંગે સવાવો ઉઠ્યા છે. રાજકોટમાં બે પરપ્રાંતીય લોકો પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે
રાજકોટ: રાજ્યમાં મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. હવે રાજકોટમાં સામે આવેલી ઘટના બાદ ફરી મહિલા સુરક્ષા અંગે સવાવો ઉઠ્યા છે. રાજકોટમાં બે પરપ્રાંતીય લોકો પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ યુવકોએ પીડિતાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, આ ઉપરાંત પીડિતાને સાત મહિનાનો ગર્ભ રાખી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિને પત્ની સાથે થયો ઝઘડો, કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી ને પછી....
Crime News: મુક્તસરના બારીવાલામાં રવિવારે એક વ્યક્તિએ ઘરેલું ઝઘડામાં પત્નીની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. આ હત્યામાં મૃતકના પતિ ઉપરાંત સાસરિયાઓની પણ સંડોવણી સામે આવી છે. પોલીસ સ્ટેશન બારીવાલાએ મૃતક મહિલાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પરિણીતાના પિતાએ શું કહ્યું
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવિન્દર કૌરે જણાવ્યું કે તેમને સવારે માહિતી મળી કે જસદીપ સિંહે બારીવાલા ગામમાં તેની 35 વર્ષીય પત્ની સરબજીત કૌરની કુહાડી વડે હત્યા કરી છે. માહિતી મળતાં જ તે પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરમિયાન રસ્તામાં મૃતક મહિલાના પિતા ભૂપર સિંહ મળ્યા હતા. તેણે જણાવ્યું કે જસદીપ સિંહે તેના માતા-પિતા સાથે મળીને સવારે લગભગ 5 વાગે તેની પુત્રી સરબજીત કૌરની કુહાડી વડે હત્યા કરી હતી.
પતિને અવાર નવાર પત્ની સાથે થતો હતો ઝઘડો
જસદીપ ડિપ્રેશનનો શિકાર છે અને તેની દવા પણ ચાલી રહી છે. તે અવારનવાર સરબજીત સાથે નાની નાની બાબતો પર ઝઘડો કરતો હતો. આમાં જસદીપના માતા-પિતાએ પણ તેને સાથ આપ્યો હતો. રવિવારે પણ ઘરેલુ વિવાદમાં મામલો વધી ગયો હતો. જસદીપે પુત્રી સરબજીત કૌરની હત્યા કરી હતી.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર, મૃતકના પિતાના નિવેદન પર તેના પતિ જસદીપ સિંહ, સસરા સુખદેવ સિંહ અને સાસુ હરજિંદર કૌર વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. . સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતકને 15 વર્ષનો પુત્ર પણ છે. જો કે આ કેસમાં પોલીસ હજુ પણ આરોપીઓ ફરાર હોવાનું જણાવી રહી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
and tablets