શોધખોળ કરો

સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં ભાજપ પાસાથી સત્તા ઝૂંટવીને કોંગ્રેસે વાઢ્યું ભાજપનું નાક, ભાજપે ક્યા 8 સભ્યોને કર્યા સસ્પેન્ડ ?

આ મુદ્દે છેલ્લા  છ મહિનાથી પાલિકામાં વહીવટ ઠપ્પ થઈ ગયો હતો.

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં ભાજપના 8 સભ્યો પાસે બળવો કરાવીને કોંગ્રેસે સત્તામાંથી દૂર કરીને ભાજપનું નાક વાઢી લીધું છે.  ભાજપ શાસિત ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બુધવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ભાજપના અસંતુષ્ટોના ટેકાથી આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદા પરથી દૂર થતાં ભાજપ પાસેથી  સતા ઝૂંટવાઇ ગઈ છે. આ ઘટનાના કારણે ભાજપની  છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે 8 અસંતુષ્ટ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.  

ભાજપે મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જોશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાણવડ નગરપાલિકામાં ભાજપના 16 અને કોંગ્રેસના 8 સભ્ય છે. ભાણવડ પાલિકામાં ભાજપની બહુમતી હોવાથી ગોદાવરીબેન જમનાભાઈ કણઝારિયા પ્રમુખ તથા નરેન્દ્રસિંહ ભાટાણી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. કારોબારી ચેરમેન પદે ભાલચંદ્ર ભટ્ટની વરણીના મુદ્દે છેલ્લા ઘણાં સમયથી ભાજપમાં ગજગ્રાહ ચાલતો હતો.

આ મુદ્દે છેલ્લા  છ મહિનાથી પાલિકામાં વહીવટ ઠપ્પ થઈ ગયો હતો. કોંગ્રેસે આ તકનો લાભ ઉઠાવી વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. બુધવારે ખાસ સામાન્ય સભા નાયબ કલેક્ટર પ્રશાંત મંગુડાની અધ્યક્ષતામાં ભાણવડ પાલિકામાં યોજાઈ હતી. આ સભામાં ભાજપના નારાજ 8 સભ્યોતથા કોંગ્રેસના 8 મળી કુલ 16 સભ્યોના ટેકાથી અવિશ્વાસનો ઠરાવ પાસ થતાં પ્રમુખ-ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયા  છે.

ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના સભ્ય મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જોશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાએ પક્ષના વ્હીપનો અનાદર કરી મતદાન કરતા પ્રદેશ ભાજપ દ્વારા તમામને તાકીદની અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget